Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, ગોંડલમાં આંખલાએ વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું મોત.

Share

ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. રોજબરોજ ક્યાંકને ક્યાંક ઢોરને કારણે ઘટનાઓ બને છે અને તેનો ભોગ સામાન્ય લોકોને બનવું પડી રહ્યું છે. લોકો ઘાયલ થઇ રહ્યા છે તો આ ઘટનામાં ઘણી મોત પણ થઇ ગઈ છે. ગુજરાત રાજ્યમાં ઢોરની સમસ્યા મામલે હાઇકોર્ટે સરકારને ફટકાર આપ્યા બાદ પણ સમસ્યાનું સમાધાન થયું નથી ઉલટાની સમસ્યા વધી ગઈ છે. રસ્તા પર રખડતા ઢોરથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ મામલે સ્થિતિ હજુ ત્યાંને ત્યાં છે.

રખડતા ઢોરના બનાવમાં વધુ એક બનાવ રાજકોટના ગોંડલમાં બન્યો હતો જેમાં ગોંડલના દરબાર ગઢમાં ગત ત્રીજી સપ્ટેમ્બરના રોજ થઇ હતી. આ ઘટનામાં એક આંખલાએ વૃદ્ધને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રખડતા ઢોરથી આજે વધુ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

Advertisement

આ ઘટનામાં મૃત્યુ પામેલા વૃદ્ધનું નામ ગોપાલભાઈ આરદેસાણા હતું અને આ અંગે પોલીસને જાણ થતા ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. હવે પોલીસ આ મામલે વધુ તપાસ કરશે.


Share

Related posts

જંબુસરમાં આવેલ હજરત સૈયદ ગંજશહિદ પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

અગ્નિપથ : 60 થી વધુ જિલ્લામાં હંગામો, આગચંપી-તોડફોડ, જાણો અગ્નિપથ યોજના અંગે અત્યાર સુધી શું થયું?

ProudOfGujarat

શહેરાનગરના તળાવનુ પાલિકાતંત્ર દ્રારા બ્યુટિફીકેશન કરવામા આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!