Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, આ સીઝનમાં પહેલીવાર ખુલશે ડેમના દરવાજા, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

Share

મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સારા વરસાદ બાદ ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદી માહોલ બાદ તમામ ડેમ છલોછલ થયા છે,ત્યારે નર્મદા જિલ્લા સ્થિત આવેલ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે, ડેમમાં સતત પાણીની આવકના પગલે ડેમની જળ સપાટી ૧૩૩.૫૧ મીટરે પહોંચી ચૂકી છે, જે બાદ તંત્ર દ્વારા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે આજે બપોરે ૧૨ કલાકે ડેમના પાંચ દરવાજા ૧ મીટર જેટલા ખોલવામાં આવી રહ્યા છે.

મહત્વનું છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે, ત્યારે ઉપરવાસમાંથી સતત ડેમમાં ૨ લાખ ૬૪ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેની સામે જાવક માટે હવે નર્મદા નદીના તંત્ર દ્વારા દરવાજા ખોલી નર્મદા નદીમાં ૧૦ હજાર થી ૧,૫૦ લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી કરી છે,નર્મદા ડેમ હાલ તેની મહત્તમ સપાટીથી માત્ર ૫ મીટર નીચે છે,ત્યારે ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisement

નર્મદા નદી હાલ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે ૧૪ ફૂટના લેવલે વહી રહી છે, ડેમમાંથી ૧,૫૦ લાખ ક્યુસેક પાણીની આવક નર્મદા નદીમાં થાય તો ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટીમાં સામાન્ય વધારો નોંધાવી શકે છે, જે ખતરાના નિશાનથી ખૂબ દૂર છે, જોકે નદી આગામી દિવસોમાં સતત ડેમમાંથી પાણીની આવક થાય તો બંને કાંઠે વહેતી થઇ શકે તે બાબત પણ નકારી શકાય તેમ નથી જોકે હાલ તંત્રએ નદીમાં પાણીની આવક બાદ સાવચેત રહેવા માટેના સૂચન જે તે વિભાગો આપ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.


Share

Related posts

નર્મદા ભાજપા જિલ્લા મહિલા મોર્ચા દ્વારા 10 મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરાઇ.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી ખાતે INVESTITURE CEREMONY યોજાઇ.

ProudOfGujarat

રશિયા, યૂક્રેન વચ્ચે યુદ્ધ સર્જાતાં પોલેન્ડના નાગરિકોએ હનુમાનજીનું શરણ સ્વીકાર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!