Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈ

Share

ભરુચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈ છે. આ કસ્ટોડિયન કમિટીમા ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ,વાઈસ ચેરમેન અજયસિંહ પરમાર, કમલેશભાઈ પટેલ, પૂર્વ વનમંત્રી શબ્દ શરણ તડવી અને ચતુરભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા સુગરની ચૂંટણી અગાઉ યોજાઈ ચુકી હતી. પરંતુ કોર્ટમેટર ચાલી રહ્યું હોઈ નર્મદા સુગરનો વહીવટ વ્યવસ્થિત રીતે ચાલી શકે તે માટે સરકારે પાંચ સભ્યોની કસ્ટોડિયન કમિટી નીમી છે. જે નર્મદા સુગરનો વહીવટ સંભાળશે. નર્મદા સુગરના ડિરેક્ટર સહીત સભાસદોએ નવા વરાયેલા કમિટી સદસ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરત : 10 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ : મૂંઝવણમાં મૂકાયેલા મંડળો, મૂર્તિકારોનું કલેક્ટરને આવેદનપત્ર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વેક્સિનેશન માટે નવા 10 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચ શહેર અને જીલ્લા માં સવાર થી ઉતરાયણ પર્વ નું હર્ષોઉલાશ સાથે ઉજવણી નો માહોલ સર્જાયો હતો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!