Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈ

Share

ભરુચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈ છે. આ કસ્ટોડિયન કમિટીમા ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ,વાઈસ ચેરમેન અજયસિંહ પરમાર, કમલેશભાઈ પટેલ, પૂર્વ વનમંત્રી શબ્દ શરણ તડવી અને ચતુરભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા સુગરની ચૂંટણી અગાઉ યોજાઈ ચુકી હતી. પરંતુ કોર્ટમેટર ચાલી રહ્યું હોઈ નર્મદા સુગરનો વહીવટ વ્યવસ્થિત રીતે ચાલી શકે તે માટે સરકારે પાંચ સભ્યોની કસ્ટોડિયન કમિટી નીમી છે. જે નર્મદા સુગરનો વહીવટ સંભાળશે. નર્મદા સુગરના ડિરેક્ટર સહીત સભાસદોએ નવા વરાયેલા કમિટી સદસ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

નેત્રંગ તાલુકામાં ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા : વરસાદ નહીં થાય તો વાવેતર નિષ્ફળ જવાની શક્યતાઓ…

ProudOfGujarat

લુણાવાડા: જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમા MGVCL તંત્ર ખુલ્લીડીપીઓનુ સમારકામ કરે તેવી લોકમાંગ

ProudOfGujarat

રાષ્ટ્રપતિ શા માટે 25 જુલાઈએ શપથ લે છે ? મહામહિમની ચૂંટણી સામાન્ય ચૂંટણી કરતાં કેટલી અલગ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!