Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલીનાં સાવરકુંડલાના મણીનગર વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

Share

અમરેલી જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ આગની ઘટનાઓ ફરી વધી રહી છે. આજે સાવરકુંડલા શહેરમાં આવેલ ભરચક વિસ્તાર મણીનગરમાં આવેલા ભંગારના ડેલામાં જૂના બાઈકના સ્ક્રેપમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયરબ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

સાવરકુંડલાના મણીનગર પાસે આવેલા ભંગારના ડેલામાં જૂના બાઈકનો ભંગાર રાખવામાં આવે છે. જેમાં આજે સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Advertisement

Share

Related posts

આમોદ તાલુકાનાં સરભાણ ગામ ખાતે સગીરાને ભગાડી જનારને પોલીસે 3 વર્ષ પછી ઝડપી લીધો હતો.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ પોસ્ટ કરેલ તસવીરોમાં બોલ્ડ પીચ ડ્રેસ સ્પ્રિંગ લુક જોવા મળ્યો

ProudOfGujarat

ચાવજના રંગૂન હોલમાં ઓલ ઈન્ડિયા પીજન શો, 450થી વધુ દુર્લભ કબૂતરો આકર્ષણનું કેન્દ્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!