Proud of Gujarat
FeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકાનાં મોરિયા ગામે લગ્ન પ્રસંગે મંજૂરી વગર 50 થી વધુ માણસો ભેગા કરતા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો.

Share

રાજપીપળા : ખેદની વાત એ છે કે નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. મોતના આંકડો પણ વધી રહ્યો છે લોકો મરવા પડ્યા છે. ત્યારે કેટલાક લોકો લગ્ન કરવા નીકળ્યા છે અને તેમાં પણ 50 થી વધુ લોકોને ભેગા કરી કોરોના સંક્રમિત કરી વગર પરવાનગી લગ્ન સમારંભો યોજાતા આયોજકો સામે પોલીસે લાલ આંખ કરી છે. જેમાં તિલકવાડા તાલુકાના મોરિયા ગામે લગ્ન પ્રસંગની મંજૂરી નહીં મેળવી તથા 50 થી વધુ માણસો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં ફરિયાદી એમ.બી.વસાવા પોસઇ તિલકવાડા પોલીસે આરોપી કંચનભાઈ દલસુખભાઈ બારીયા (રહે,મોરિયા )સામે ફરિયાદ કરી છે. ફરિયાદની વિગત મુજબ આરોપી કંચનભાઈનાએ પોતાની પુત્રીના લગ્ન યોજવાની મંજુરી નહીં મેળવી લગ્ન પ્રસંગમાં 50 થી વધુ માણસો ભેગા કરી જિલ્લા મેજિસ્ટ્રેટના કોરોના વાયરસના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

ભરૂચના નેત્રંગથી ગેરકાયદેસર પશુ ભરેલા બે આઈસર ટેમ્પો ઝડપી પાડતી નેત્રંગ પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર માં ગુડ્સ ટ્રેન નું ન્યુ સંજાલી સ્ટેશન બિલ્ડીંગ સ્ટાફ ક્વાટર્સ નો માલ સામાન્ ચોરી મામલે એક ઈસમ ની ધરપકડ કરતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

નર્મદા જિલ્લાની પી.એચ.સી પર ગેરહાજર રહેનાર તબીબી અધિકારી આજે હાજર થતા કોરોના આયુર્વેદિક હોસ્પિટલમાં કોરન્ટાઈન કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!