Proud of Gujarat
FeaturedGujaratINDIA

તા. ૨૫ મી એ સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી સાંજે ૪-૦૦ કલાકે ૧૩૮.૩૧ મીટરે નોંધાઇ.

Share

રાજપીપળા, આરીફ જી કુરેશી

નર્મદા ડેમમાં ૧,૯૧,૯૭૪ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૧,૫૯,૮૮૮ ક્યુસેક પાણીનો આઉટફલો : ડેમના ૧૦ દરવાજા ખોલાયાં.૨૪ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૩૦૮ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા ૫,૧૪૩ મેગાવોટ વિજ ઉત્પાદન.

Advertisement

રાજપીપલા, નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોનીના સરદાર સરોવર-નર્મદા ડેમ ખાતે આજે તા. ૨૫ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને બુધવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે ડેમની જળ સપાટી ૧૩૮.૩૧ મીટરે સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. તેની સાથોસાથ આજે સાંજે ૪:૦૦ કલાકે નર્મદા ડેમના ૧૦ દરવાજા ખુલ્લા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજે તા. ૨૫ મી સપ્ટેમ્બરના રોજ સાંજે ૪:૦૦ વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૧,૯૧,૯૭૪ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૧,૫૯,૮૮૮ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો. તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે તા. ૨૫ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સવારના ૮:૦૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન R.B.P.H -ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૩૦૮ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H- કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૫,૧૪૩ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલ છે.


Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 25 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1917 થઈ.

ProudOfGujarat

અમિત ચાવડાનો જાતિના પ્રમાણપત્ર અંગે ખુલાસો : ‘ હું માયાવંશી હતો’, ‘માયાવંશી છું’ અને ‘માયાવંશી જ રહીશ’.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા દ્વારા ચાંગોદર જીઆઇડીસીમાં મેલેરીયા ડેન્ગ્યુથી બચવાના ઉપાયો સમજાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!