Proud of Gujarat
FeaturedGujaratINDIA

તા. ૨૫ મી એ સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી સાંજે ૪-૦૦ કલાકે ૧૩૮.૩૧ મીટરે નોંધાઇ.

Share

રાજપીપળા, આરીફ જી કુરેશી

નર્મદા ડેમમાં ૧,૯૧,૯૭૪ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૧,૫૯,૮૮૮ ક્યુસેક પાણીનો આઉટફલો : ડેમના ૧૦ દરવાજા ખોલાયાં.૨૪ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૩૦૮ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા ૫,૧૪૩ મેગાવોટ વિજ ઉત્પાદન.

Advertisement

રાજપીપલા, નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોનીના સરદાર સરોવર-નર્મદા ડેમ ખાતે આજે તા. ૨૫ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને બુધવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે ડેમની જળ સપાટી ૧૩૮.૩૧ મીટરે સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. તેની સાથોસાથ આજે સાંજે ૪:૦૦ કલાકે નર્મદા ડેમના ૧૦ દરવાજા ખુલ્લા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજે તા. ૨૫ મી સપ્ટેમ્બરના રોજ સાંજે ૪:૦૦ વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૧,૯૧,૯૭૪ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૧,૫૯,૮૮૮ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો. તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે તા. ૨૫ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સવારના ૮:૦૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન R.B.P.H -ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૩૦૮ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H- કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૫,૧૪૩ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલ છે.


Share

Related posts

પંચમહાલ : અમદાવાદ-ગોધરા-ઈન્દોર માર્ગને ફોરલેન કરવાની કામગીરીને ધ્યાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું.

ProudOfGujarat

ઝઘડીયાના ઉંચેડિયા ગામેથી 13 ફૂટ લાંબા મહાકાય મગરમચ્છને રેસ્ક્યુ કરી પાંજરે પુરવામાં આવ્યો.

ProudOfGujarat

જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવમાં ભગવાનનો થયો જળાભિષેક : મામાના ઘરે જશે ભગવાન જગન્નાથ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!