Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં ૨૮ જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા.

Share

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ તથા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે લેવામાં આવી રહેલા પગલાઓની વિગતો આપતા જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં ૨૮ જેટલા કોઝવે, નાળા પરના રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. ઉમરપાડા તાલુકામાં ૧૩ ઈચ વરસાદ પડવાને કારણે તાલુકાના આઠ જેટલા મેજર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ઉમરપાડાના ૫૬ જેટલા ગામોમાં કાચા મકાનોમાં રહેતા રહીશોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. જયારે આ ગામોમાં આવેલા તળાવ, જળાશયો, ડેમોમાં કોઈ પણ માછીમારી ન કરે તે અંગેની સુચનાઓ પણ ગ્રામજનોને આપવામાં આવી છે. હાલ જિલ્લામાં કોઈ માનવની જાનહાનિ ન હોવાનું કલેકટરે જણાવ્યું હતું.

કલેકટર એ વધુમાં જણાવ્યું હતું કે, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કાકરાપાર વિયરમાંથી ૬૦,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે હરિપુરા કોઝવેને બંધ કરવામાં આવ્યો છે. એન.ડી.આર.એફની એક ટીમ વધારી ટીમ વડોદરાની આવી હોવાથી ઓલપાડ તેનાત રાખવામાં આવી છે. વધુ એક એસ.ટી.આર.એફ.ની ટીમ મંગાવવામાં આવી છે જે માંગરોળમાં તહૈનાત કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. નોંધનીય છે કે, પાંચ તાલુકાના ૨૮ નદી-નાળાના રસ્તાઓ બંધ કરાતા તકેદારીના ભાગરૂપે પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી. જવાનો તેનાત કરવામાં આવ્યા છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં રવિવારે ૩૭ કેન્દ્રો પર ૧૦૮૪૨ ઉમેદવારો તલાટી ભરતીની પરીક્ષા આપશે

ProudOfGujarat

સાઉથ આફ્રિકામાં કારનું ટાયર બ્લાસ્ટ થતા ભરૂચના 3 યુવાનનાં મોત.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે બે દિવસિય સેફ્ટી એન્ડ હેલ્થ સેમિનારનો પ્રારંભ જી.આઇ.ડી.સી ના એમ.ડી થારાએ ઉધોગોને કડક દિશા નિર્દેશ કર્યા અકસ્માત – પર્યાવરણીય પરિસ્થિતિમા સુધારો લાવવા માટે કડક સૂચન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!