Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

Share

સુરતમાં પોલીસ કમિશનર અજય કુમારની સૂચના અનુસાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી હોય જે મુજબ જે.ટી. સોનારા (Acp) ડી ડિવિઝન સુરત અજમેશ દરમ્યાન પીએસઆઇ હરપાલસિંહ મસાણી તથા સર્વિલમ ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ફકીરભાઈ તથા દિવ્યેશભાઇને ચોક્કસ બાતમી મળેલ કે છેલ્લા છ વર્ષથી ડીંડોલી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપી સરોજ ઉડશે મનોજ બિહારી જગન્નાથજી આ વિસ્તારમાં હોય આ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા ડીંડોલી વિસ્તારમાં છે સરોજ ઉર્ફે મનોજ બિહારી જગન્નાથસિંહ રાજપૂત ઉંમર વર્ષ 45 રહેઠાણ 272 ખોડીયાર નગર પાટીલ રોડ ડીંડોલી સુરત વરાછા મૂળ વતન ભડકા ગામ થાના તરાળી જિલ્લા આરા ભોગ પુર (બિહાર) ને પોલીસે ડીંડોલી ખાતેથી ઝડપી પાડ્યો છે. આ અગાઉ આરોપી સરોજ ઉર્ફે મનોજ બિહારી લૂંટ તથા મર્ડરના ગુનામાં તેમજ મારામારીના ગુનામાં પકડાયેલ હોય જે છેલ્લા છ વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં નાસતો કરતો હોય જેને ઝડપી લઇ પ્રોવિબિશન એક્ટની કલમ 66 (1) B (65) E (81) મુજબની ફરિયાદ નોંધ ડીંડોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરી (૧) પોલીસ ઇન્સપેક્ટર આર.જે. ચુડાસમા (૨) સેકન્ડ પો.ઈન્સ. એસ.એમ.પઠાણ (૩) PSI હરપાલસિંહ મસાણી (૪) HC મહેન્દ્ર ફકીરાભાઈ (૫) HC દિવ્યેશ હરીશભાઈ (૬) HC જયદીપસિંહ બાવલભા નાઓએ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના ત્રાલસાની દિવ્યાંગ બાળકોની સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રમાં વિવિધ પ્રોજેક્ટોના ઉદ્ઘાટન સાથે સર્વાંગી વિકાસને વેગ.

ProudOfGujarat

વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનું સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

દેશની આઝાદીના લડવૈયા નરેન્દ્રભાઇએ ક્યારેય નથી લીધુ પેન્શન, 97 વર્ષે પણ છે ફિટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!