Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત પાલિકામાં 22 ગામો અને 2 નગરપાલિકા સમાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવતા મુલતવી રહી હતી

Share

સુરત પાલિકામાં 22 ગામો અને 2 નગરપાલિકા સમાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવતા મુલતવી રહી હતી.ભાંઠા અને કામરેજમાં આ બાબતે વિરોધનો વંટોળ ઉભો થયો હતો. સાથે જ નવસારી સાંસદ સીઆર પાટીલે પણ કમિશનરને પત્ર લખીને પારડી-કણદે તેમજ ઉંબેર ગામનો સમાવેશ ન કરાતા વાંધો ઉઠાવ્યો હતો. આ સંજોગોમાં સ્થાયી સમિતિએ હાલ પુરતા વિવાદના મધપૂડાને છંછેડ્યા વગર નિર્ણય મુલતવી રાખ્યો છે. પાસોદરા, નવાગામ, લસકાણા, ખોલવડ ગામને લઇ પણ વિરોધ કામરેજ નજીક આવેલા નવાગામ, લસકાણા, ખોલવડ અને પાસોદરા આ ચાર ગામને પણ શહેરમાં સમાવવાને લઇ વિરોધનો વંટોળ ઉઠયો હતો. બુધવારે શહેર ભાજપ-જિલ્લા ભાજપ તથા જિલ્લા પંચાયતના આગેવાનોની શહેરમાં 22 ગામો અને 2 નગર પાલિકાને સમાવવા મુદ્દે એક અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપરોકત ચારેય ગામને શહેરમાં સમાવવા અંગે વિરોધ કરાયો હતો. બેઠકમાં એવો સૂર ઉઠ્યો હતો કે આ ચારેય ગામ પાલિકામાં લઇ લેવાય તો જિલ્લા પંચાયતનો મહત્વનો વિસ્તાર નિકળી જાય એમ છે. આ 3 ગામના સમાવેશ મામલે વિવાદનો વંટોળ મનપાના કમિશનરે શરૂઆતમાં જે ગામોનો સમાવેશ કરવા માટે નકશો તૈયાર કર્યો હતો. તેમાં પારડી-કણદે અને ઉંબેરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ દરખાસ્તમાંથી જ આ બંને ગામોનો છેદ ઉડાવી દેવામાં આવતા હાલમાં હદ વિસ્તરણના મામલે વિવાદનો વંટોળ ઉઠ્યો હતો.

Advertisement

Share

Related posts

સુરતનાં મોટા વરાછા વિસ્તારમાં શિયાળાની બરાબર જમાવટ થતાં તસ્કરો સક્રિય બન્યા છે અને એક બાદ એક ચોરીની વારદાતને અંજામ આપી રહયા છે.

ProudOfGujarat

લોકડાઉનમાં શુકલતીર્થ મંગલેશ્વરમાં રેતી માફિયાઓ સક્રિય.

ProudOfGujarat

નર્મદા ડેમની જળ સપાટી 130.09 મીટર પર પહોંચી, જળ સપાટીમાં 16 સેન્ટીમીટરનો વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!