Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાનાં રામરાજપર ગામનાં ખેડૂતોનાં ખેતરોમાં પાણીનો ભરાવો થતા પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઇ છે.

Share

સુરેન્દ્રનગરની સાથે લીંબડી તાલુકામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે, ત્યારે લીંબડી તાલુકાના ખેતરોમાં પણ પાણી ભરાઇ જવાની સમસ્યા ખેડૂતોને સતાવી રહી છે, રામરાજપર ગામ પાસે આવેલ વલભીપુર શાખાની કેનાલની દિવાલ પણ તૂટી જવા પામી છે. તાલુકાનાં રામરાજપર ગામે ખેડૂતોનાં ખેતરોમાં પાણી નિકાલની સમસ્યા સર્જાતા ખેતરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા બળવત્તર બની રહેવા પામી છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આ પંથકના ખેડૂતોએ મગફળી, બીટી કપાસ, એરંડા, ખારેક, લીંબુ સહિતનાં પાકનું વાવેતર કર્યા બાદ પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત થવા પામી છે. ખેતરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાને કારણે નાના ટીંબલા ગામ પાસે પણ વરસાદી પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ વ્યક્ત થવા પામી છે. આથી ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : સાઉથ આફ્રિકાનાં ગ્રે ટાઉનમાં કાર અકસ્માતમાં ભરૂચનાં દંપતીનું મોત નીપજ્યું.

ProudOfGujarat

ભરૂચ : હિન્દુ જાગરણ મંચની આગેવાનીમાં આજરોજ ભરૂચ ખાતે લવ જેહાદ અને ધર્મપરીવર્તન અંગે ઉગ્ર વિરોધ નોંધાયો.

ProudOfGujarat

વાગરા : ભેરસમ ગામનાં તળાવમાંથી આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!