Proud of Gujarat
INDIAFeaturedGujarat

સોનગઢ ખાતે રાખેલ શાંતિ બોદ્ધ વિહાર સંઘનુ વિવિધ જગ્યાએ સ્વાગત કરાયું.

Share

ભારતીય બોદ્ધ મહાસભા – તાપી દ્વારા તા.૧૫ મી થી ૨૪ મી મે ૨૦૨૨ દરમ્યાન શાંતિ બોદ્ધ વિહાર – સોનગઢ ખાતે રાખવામા આવેલ શ્રામનેર શિબિર અંતર્ગત બોદ્ધ ભીખ્ખુ સંઘ તથા નાગપુરથી પધારેલ ભંતેગણ દ્વારા આજ ૨૦ મી એપ્રિલના રોજ વ્યારા ખાતે આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પર સવારે ૧૦ કલાકે પુષ્પહાર પહેરાવી ભીમ વંદના કરી નગરના મુખ્ય માર્ગ પર ફેરીરૂપે પ્રયાણ કર્યું હતુ.

ફેરી પ્રયાણ દરમ્યાન વ્યારા નગરના માજી નગરપતિ મહેરનોઝભાઇ જોખીજી એ બોદ્ધ સંઘનુ સ્વાગત જૂના બસસ્ટેશન નજીક સોનાલી હોટલ ખાતે કર્યુ હતુ. ઉપરાંત વ્યારા ખાતે આવેલ જુમ્મા મસ્જિદ, પાસે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા બોદ્ધ સંઘનુ સ્વાગત ઉમળકાભેર કર્યું હતુ. ત્યારબાદ સંઘ આંબેડકર ભવન પહોંચ્યો હતો. ત્યા વ્યારા નગર તથા જીલ્લા આંબેડકર ગૃપ દ્વારા બોદ્ધ સંઘનુ સ્વાગત કરી બોદ્ધ વંદના, સ્તુતિ કરી બુદ્ધ સંઘ, ભંતેજી તથા આવેલ મહેમાનોને ભોજન કરાવડાવી કાર્યક્રમ પુર્ણ કરવામા આવ્યુ હતુ.

Advertisement

Share

Related posts

વડોદરાનાં આર્મી હાઉસ હોલ્ડ મટીરીયલની ખોટી બિલ્ટી બતાવી ગુટકા તમાકુ લઈ જતાં કન્ટેનરને SOG પોલીસે માંડવા ટોલનાકા પાસે ઝડપી લીધું.

ProudOfGujarat

ડીજે નીના શાહ અંબાણીની એનએમએસીસી ઇવેન્ટમાં હાજરી આપનાર એકમાત્ર મહિલા ડીજે હતી, ગીગી હદીદ અને અન્ય ઘણા કલાકારો સાથે તસવીરો શેર કરી

ProudOfGujarat

ઝઘડિયા રાજપારડી વચ્ચે ધોરીમાર્ગની ચાર માર્ગીય કામગીરી અટવાતા સર્વાંગી વિકાસ ગુંચવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!