Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં હાથીખાનાના 400 વેપારી આજે ભારત બંધમાં જોડાયા.

Share

જીએસટી કાઉન્સિલે ઘઉં, ચોખા, દાળ અને લોટ પર 5 ટકા જીએસટી લાગુ કરતાં બરોડા ગ્રેઈન મરચન્ટ એસોસિયેશન દ્વારા વિરોધ કરાયો છે. જ્યારે અનાજના વેપારીઓએ 16 જુલાઈએ ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં હાથીખાનાના 400 વેપારીઓ પણ જોડાશે અને શનિવારે પોતાની દુકાનો બંધ રાખી છે.

બરોડા ગ્રેઈન મર્ચન્ટ એસો.ના પ્રેસિડન્ટ નિમેશ મહેતાએ જણાવ્યું હતું કે, જીએસટી કાઉન્સિલની પેક કરેલા તેમજ લેબલ લગાવેલા તમામ ખાદ્ય પદાર્થો સહિત અન્ય કેટલીક વસ્તુઓને જીએસટી હેઠળ લાવવાની યોજના સામે દેશના અનાજના તમામ વેપારી રોષમાં છે. આ નિર્ણયથી નાના વેપારી બરબાદ થશે, જ્યારે મોટી બ્રાંડનો કારોબાર વધશે. પ્રી-પેક, પ્રી લેબલ દહીં, લસ્સી અને છાસ સહિત પ્રી પેકેજ્ડ અને પ્રી લેબલ રિટેલ પેક પર પણ જીએસટી લાગશે. આ નિર્ણયનો વેપારી વિરોધ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

વડોદરા ઢોર પકડનાર પાર્ટી પર હુમલો થયા બાદ તંત્ર એક્શનમાં, અકસ્માત થશે તો કડક કાર્યવાહી કરવાની મેયરની ચીમકી.

ProudOfGujarat

વડોદરા : તરસાલી ખાતે વીર નર્મદ પ્રાથમિક શાળામાં ઝૉન કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પ્રાંકડ ગામે હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!