Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાવાઝોડાના પગલે વૃક્ષો ધરાશાયી થતા કરજણ ફાયર વિભાગના કર્મીઓએ વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરી

Share

ગત તારીખ ૧૬ જુનના રોજ ક્ચ્છ અને સૌરાષ્ટ્રમાં ફૂકાયેલા બિપરજોય વાવાઝોડાની અસર વડોદરા જિલ્લામાં પણ જોવા મળી હતી. વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં ભારે પવનના પગલે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. બિપરજોય વાવાઝોડાની અસરને કારણે કરજણ શહેરના ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી.

જે અંતર્ગત ગતરોજ કરજણના જુનાબજાર વિસ્તારમાં ધાવટ ચોકડી નજીક લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાવાની સંભાવના ઉભી થવાની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગના કર્મીઓ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી વૃક્ષ કાપી માર્ગ ખુલ્લો કર્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇ.એસ.આઈ. હોસ્પિટલ વિસ્તારમાંથી નેપાળી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામોં ….

ProudOfGujarat

કરગત ગામના પાટીઆ પાસે થયેલ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનુ મૌત …

ProudOfGujarat

વડોદરા : પુલવામા ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ ના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!