Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધરમપુરની વનરાજ કૉલેજને એમ.એ. સોસીયોલોજીનું અનુસ્‍નાતક કેન્‍દ્ર મળ્‍યું..

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેની વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કૉલેજને શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એમ.એ. સોસીયોલોજીના અનુસ્‍નાતક કેન્‍દ્રને માન્‍યતા આપી છે. જેને લઇ ધરમપુરના આદિજાતિ વિસ્‍તારના વિદ્યાર્થીઓ, અધ્‍યાપકો, વહીવટી સ્‍ટાફ, ટ્રસ્‍ટી મંડળ તેમજ વાલીઓમાં આનંદનું મોજું ફરી વળ્‍યું છે. એમ.એ. સોસીયોલોજીના વિદ્યાર્થીઓ કે જેઓએ એમ.એ. સેમ-૧માં પ્રવેશ અરજી કરી છે અને હેલ્‍પ સેન્‍ટર ખાતે વેરીફાઇ કરાવ્‍યું છે, તેઓને તા.૨૮/૬/૧૮થી તા.૨૯/૬/૧૮ સુધી સાંજના પાંચ વાગ્‍યા સુધીમાં પસંદગીની તક મળી છે. તેઓ હવે એમ.એ. સોસીયોલોજીમાં વનરાજ કૉલેજ ધરમપુરની પસંદગી કરી શકશે.

Advertisement

Share

Related posts

કાવ્ય શિક્ષણમાં AI ટૂલ્સની અસરકારકતા: ભરૂચના ડૉ. ઈમ્તીયાઝભાઈ ઘાંચીનું સંશોધન પત્ર રાજ્ય કક્ષાની કોન્ફરન્સ માટે પસંદ કરાયું

ProudOfGujarat

વડોદરા : ડભોઈના ધારાસભ્ય સહિત ત્રણ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ.

ProudOfGujarat

ઝઘડિયા GIDC નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત બાદ ટ્રક ચાલક કૂદી પડતા મોત, CCTV ફૂટેજ બહાર આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!