Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના અશા ખાતે કેળની ખેતી વિશેનો પાક પરિસંવાદ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા ગામે વિજય દર્શન આશ્રમ ખાતે જૈન ઇરીગેશન સિસ્ટમ લિ. જલગાંવ આયોજીત કેળ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

ભરુચ,સુરત તેમજ નર્મદા જીલ્લાના ઘણા વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી કેળનુ વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. આ જિલ્લાઓએ કેળ ઉત્પાદનમાં વિશેષ સ્થાન બનાવેલું છે.આ જીલ્લાઓમાં હાલ ઘણા નવા ખેડુતો પણ કેળની ખેતી તરફ વળ્યા છે. વર્ષો વર્ષ વાતાવરણમાં થઇ રહેલ ફેરફારોના કારણે ખેડુતોને નવી નવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, એને લઇને કેળની ખેતીમાં રોપણીથી લઇને ઉત્પાદન સુધીમાં કરવી પડતી માવજત બાબતે ખેડૂતો આધુનિક પ્રધ્ધતિ અંતર્ગત જાણકારી મેળવી શકે તે માટે પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઉત્પાદન સુધીના વિવિધ તબક્કાઓ અંતર્ગત પાકની પાણીની જરુર તેમજ રોગ અને જીવાતથી પાકનું રક્ષણ કરવા સંબંધી જરુરી માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં કૃષિ તજજ્ઞ ડો.કે.બી.પાટીલ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામા આવ્યું હતું.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

વડોદરાના હરણી વિસ્તારના રહીશોનો પીવાનું પાણી ન મળતા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું

ProudOfGujarat

boAt ની નવી સ્માર્ટવોચ બ્લૂટૂથ કોલિંગ ફીચર સાથે લોન્ચ, તમે ફોનને ટચ કર્યા વિના મિત્રો સાથે ચેટ કરી શકશો.

ProudOfGujarat

અભિનેતા વરુણ ભગત તેના શો આર યા પાર રિલીઝ થયા બાદ દર્શકો માટે એક ખાસ સંદેશ શેર કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!