Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયાના ઉમલ્લા ગામે કે.આર.પટેલ વિદ્યામંદિરના નિવૃત્ત થતાં આચાર્યને વિદાયમાન અપાયુ.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે કે. આર. પટેલ વિદ્યામંદીર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નરેશભાઈ રમણભાઈ પટેલ વયમર્યાદાને લઇને નિવૃત થતા તેમને વિદાયમાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. અત્રે આયોજિત વિદાય સહ શુભેચ્છા સન્માન સમારોહમાં વિદાય લેતા આચાર્ય નરેશભાઇએ શાળામાં ૧૮ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક આચાર્ય તરીકેની ફરજ બજાવેલ હોઇ તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ બીપીનભાઈ પટેલ, ચેરમેન જયંતીભાઈ દેસાઈ તથા અન્ય હોદ્દેદારો, શિક્ષકો તેમજ વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે પછી શાળાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે શાળાના સિનિયર શિક્ષક પ્રવીણભાઈ વસાવાની વરણી કરવામાં આવી હતી. વિદાય લેતા આચાર્ય નરેશભાઇએ શાળા પરિવારે તેમને આપેલ ભવ્ય સન્માન સહ વિદાયમાન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલમાં માસ્ક પહેર્યા વિના ધંધો કરતા દુકાનદારો તેમજ માસ્ક પહેર્યા વિના ફરતા કુલ 20 લોકોને પોલીસે દંડ ફટકાર્યો.

ProudOfGujarat

વડોદરા : કરજણના કલા શરીફ ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ વકફ કમિટી દ્વારા કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

લોકશાહીના મહાપર્વને લઈને ગરૂડેશ્વર તાલુકાના મોટા પીપરીયા ગામે આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા વયોવૃદ્ધ મતદારોનો મક્કમ નિર્ધાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!