Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના રાજપારડી ગામના ૧૧ યુવાનો અમરનાથની યાત્રાએ જતા વિદાયમાન અપાયુ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના ૧૧ જેટલા યુવાનો અમરનાથની યાત્રાએ જતા ગામ અગ્રણીઓ દ્વારા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. રાજપારડીના ૧૧ નાગરીકો ગતરોજ બાબા અમરનાથની યાત્રા માટે નીકળ્યા હતા. આ પ્રસંગે ગ્રામ પંચાયત સદસ્ય નિલેશભાઇ ચૌહાણ તેમજ અગ્રણીઓ સુનિલભાઇ પટેલ અને પુનમદાસ વસાવા દ્વારા તેમને ફુલહારથી સન્માનિત કરીને વિદાયમાન આપવામાં આવ્યુ હતું. રાજપારડી ગામેથી અમરનાથની યાત્રા માટે નીકળેલ આ ૧૧ યુવાનોને ગ્રામજનોએ વિદાયમાન આપીને તેમનો પ્રવાસ સફળ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ યુવાનો તેમની અમરનાથની યાત્રાનો ૧૨ દિવસનો પ્રવાસ પુર્ણ કરીને પાછા ફરશે. ઉલ્લેખનીય છેકે દરવર્ષે રાજપારડીથી ભાવિક યુવાનો દ્વારા બાબા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

નડિયાદમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કરાશે

ProudOfGujarat

અંકલેશ્વરઃ લાયન્સ ક્લબ દ્વારા 21 શાળાનાં 2-2 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા

ProudOfGujarat

અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોનો ભોગ લેનાર આરોપી પુત્ર અને પિતા સહિત 6 લોકોની અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!