Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં અને નર્મદા જિલ્લાની હદ પર આવેલા તાલુકાનાં ગામોમાં તાડફળીનાં મોટા પાયે ઝાડો હોવા છતાં લોક ડાઉનનાં કારણે ધંધો ન થવાથી રોજગારી પર અસર વર્તાઈ રહી છે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અને નર્મદા જિલ્લાની હદ પર આવેલા તાલુકાના ગામોમાં તાડફળીનાં મોટા પાયે ઝાડો આવેલા છે. ઉનાળામાં અસંખ્ય આદિવાસી પરિવારો તાડફળી વેચાણ કરી રોજીરોટી કમાય છે. આ વર્ષે કોરોના સંક્રમણના કારણે લોકડાઉન છે. જેથી તાડફળી ગામડાઓમાંથી શહેરમાં લાવવામાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં તાડફળીના દર્શન દુર્લભ બન્યા છે. પહેલાની જેમ લોકડાઉનને કારણે હાઈવે રોડ પર તાજી તાડફોડી કાઢી આપતા આદિવાસી પરિવારો હાલ દેખાતા નથી. લોકડાઉનને કારણે તાડફડીના ધંધામાં આ વર્ષ ખોટ આવી છે જેને કારણે તેમના ધંધા પર અસર પડી છે. હાલ વ્યક્તિગત છૂટક વેચાણ કરવાનો વારો આવ્યો છે. તાડના ઝાડ પર પુષ્કળ તાડફલ્લા લાગ્યા છે. તાડના ઝાડ પર નારિયેળ જેવા ફલ્લામાંથી ત્રણથી ચાર જેટલી તાડફડી નીકળે છે જેમાં મીઠો ગર અને નાળિયેર જેવું મીઠું પાણી નિકળે છે જે આરોગ્ય માટે ફાયદાકારક ઉનાળામાં ઠંડક આપતુ, પથરીના રોગ માટે પણ અકસીર અને લોકોનું પ્રિય ફળ ગણાય છે.

ઝઘડીયા તાલુકાની છેવાડાના ગામોમાં તાડના અસંખ્ય ઝાડો આવેલા છે જેમાં આદિવાસી પરિવારો તાડના ઝાડ ભાડે રાખે છે. શિયાળામાં તાડના ઝાડની ડાળીઓમાંથી નીકળતો મીઠો રસ નીરો ઉત્તમ પીણા તરીકે ગણાય છે. ઉનાળામાં તેને નાળિયેર જેવા ફળ લાગે છે તેને તોડીને તેમાંથી તાડફડીનું ફળ કાઢવામાં આવે છે. આ વર્ષે આદિવાસી પરિવારો માટે તાડફડી રોજગારીનો ઉત્તમ સાધન હોવા છતાં લોકડાઉનના કારણે આ રોજગારી પર તેની અસર વર્તાઈ રહી છે.

ઝઘડિયા નિમેષ ગોસ્વામી

Advertisement

Share

Related posts

પાલેજ ગ્રામ પંચાયત દ્વારા કોરાના વાઇરસનાં કહેરમાં માનવતા મહેકાવી, વતન જતાં પરપ્રાંતીય માટે સતત 5 માં દિવસે જમવાની વ્યવસ્થા ચાલુ રાખી છે.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં કિનારે સોમનાથ મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે ચાલતી તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો.

ProudOfGujarat

અત્તા માંઝી સટકલી : અંકલેશ્વરવાસીઓને પ્રદુષણે અંદરથી ખોખલા કરી દીધા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!