Proud of Gujarat
FeaturedGujaratINDIA

મણીપુર ખાતે મહિલાઓ પર થયેલ અત્યાચાર બાબતે માનવ અધિકાર પંચ ઝઘડિયાએ આવેદન આપ્યું

Share

મણીપુરમાં મહિલાઓ પર થયેલ અત્યાચાર અને અભદ્ર વર્તનની બાબતે ઠેરઠેર વિરોધ પ્રદર્શિત થઇ રહ્યો છે. વિવિધ સંસ્થાઓ અને આદિવાસી સંગઠનો દ્વારા આવેદનો દ્વારા મણીપુરમાં બનેલ ઘટનાઓમાં દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરાઇ રહી છે. ગતરોજ આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલ બંધના એલાનને ઠેરઠેર વ્યાપક પ્રતિસાદ મળ્યો હોવાના અહેવાલો મળ્યા છે. દરમિયાન આજરોજ આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર પંચની ઝઘડિયા પાંખ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ઉદ્દેશીને ઝઘડિયાના નાયબ કલેક્ટરને એક આવેદન આપીને મણીપુરની ઘટનાઓમાં દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આવેદનમાં જણાવાયું હતું કે છેલ્લા કેટલાક સમયથી મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે દેશમાં ચિંતા ફેલાઇ છે.આ બાબતે સરકાર દ્વારા કોઇ નક્કર પગલા લેવાયા નથી એમ જણાવીને આ ઘટનાઓમાં સામેલ વ્યક્તિઓને કડક સજા કરાય તેવી માંગ કરી હતી. આવેદનમાં જણાવાયું હતું કે દેશના રાષ્ટ્રપતિ એક મહિલા હોય અને દેશમાં મહિલાઓ પર પાશવી કૃત્ય થાય એ વાત શરમજનક છે. આવેદનમાં વધુમાં જણાવાયું હતું કે મણીપુરમાં ૮૦૦ થી ૧૦૦૦ જેટલા લોકોનું ટોળુ બે મહિલાઓ સાથે પાશવી કૃત્ય કરી રહેલ હોવાની વાત એક વાયરલ થયેલ વિડીઓમાં જોઇ શકાય છે. ભારત જેવા મહાન દેશમાં અસામાજિક તત્વો દ્વારા બે મહિલાઓને નિવસ્ત્ર કરીને જાહેરમાં એમનું સરઘસ કઢાય એ બાબત નારીજાતિનું અપમાન ગણાય અને તેનાથી વિશ્વમાં દેશની છબી કલંકિત થઇ છે, એમ જણાવીને દોષિતોની તાત્કાલિક ધરપકડ કરીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ આવેદનમાં કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

અંકલેશ્વરનાં જીતાલી નજીક ઇકો કાર ચાલકે 4 જેટલી બાઇકને ટક્કર મારતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં.

ProudOfGujarat

ભરૂચ : કૃષિબિલનાં વિરોધમાં જિલ્લા કોંગ્રેસનાં કાર્યકરોએ કિસાન અધિકાર દિન નિમિત્તે ધરણાં- ઉપવાસ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!