Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા ગામે આઠ ફુટ લાંબો અજગર પકડાયો.

Share

ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારોમાં નર્મદા નદીના પૂરના કારણે જળચર જીવો તથા વન્ય પ્રાણીઓએ કાંઠા વિસ્તારમાંથી સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. નર્મદા પૂરના પાણી ઓસર્યા બાદ ઝઘડિયા પંથકના કાંઠા વિસ્તારની સીમોમાંથી રોજિંદા અજગર દેખાવાની તથા વન્ય પ્રાણી દીપડાઓ દ્વારા શિકારની ઘટનાઓ બની રહી છે. આજરોજ ઝઘડિયા ગામના મકામ વગામાંથી આયુષ પટેલ નામના ખેડૂતના ખેતરમાં મજુરો નિંદામણ કરતા હતા તે સમયે લાંબો અજગર જણાયો હતો. ખેત મજૂરોએ ખેડૂતનો સંપર્ક કર્યો હતો. ખેડૂતે ઝઘડિયાની સેવ એનિમલ ટીમને જાણ કરતા ટીમના સભ્યોએ સુરક્ષિત રીતે અજગરને ઝડપી લઇ વન વિભાગને સોંપ્યો હતો. વન વિભાગે ઝડપાયેલ અજગરને સુરક્ષિત રીતે જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં રિક્ષા ચાલકો દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય અને રાહતવાળું પેકેજ આપવાની માંગણી કરી હતી.

ProudOfGujarat

માંગરોળ આરોગ્ય કચેરીમાં કોરોના રોગની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા માં મચ્છરો ના ઉપદ્રવ અને સ્વચ્છતા અને પાણી જેવા વિવિધ મુદ્દે વિપક્ષ ના હોબાળા વચ્ચે સંપન્ન થઇ હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!