Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાવાઝોડાનાં કારણે પાક ધિરાણનું સંપૂર્ણ દેવું તથા લોન માફ કરવા આપ કિસાન સંગઠન દ્વારા ઝઘડિયા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.

Share

વાવાઝોડાના કારણે ખેતીના પાકને નુકશાન થતા પાક નિષ્ફળ જવા પામ્યો છે, આવી પરિસ્થિતિમાં આપ કિસાન સંગઠન ગુજરાત દ્વારા ઝઘડીયા નાયબ કલેકટરને એક આવેદનપત્ર આપી પાક ધિરાણનુ સંપૂર્ણ દેવુ તથા લોન માફ કરવા રજુઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયુ છે કે ચાલુ વર્ષે વાવાઝોડાના કારણે સહકારી બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી લીધેલ પાક ધીરાણનું સંપૂર્ણ દેવુ, લોન માફ કરવી જોઇએ. નવું પાક ધિરાણ તાત્કાલિક ધોરણે ફાળવી આપવુ. ખેડૂતોની લોન ઉપર જે કુદરતી આફતના કારણે એકાદ હપ્તો કે પાક ધિરાણ મોડુ ભરવામાં આવે છે એની ઉપર સીબીલ દ્વારા ચકાસણી કરવામાં આવે છે તે ચકાસણી બંધ કરવી. એગ્રીકલ્ચર લોન પર સીબીલની ચકાસણી થવી જોઈએ નહીં. ખેડૂતોના પાકને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. દરેક વેપારી ટેકાના ભાવથી ઉપર ખરીદી કરે અને નીચા ભાવે પાકની ખરીદી કરે તો તેના ઉપર સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ગુજરાતના જે જીલ્લામાં વાવાઝોડાની અસર થયેલ છે તે જિલ્લાના ખેડૂતોને બિયારણ રાહત દરે મળવું જોઈએ. આપ કિસાન સંગઠન ગુજરાત દ્વારા આવેદનપત્રની નકલ રાજ્યપાલ, મુખ્યમંત્રી, આરબીઆઈ રીજીઓનલ ઓફિસર ને પણ મોકલવામાં આવી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઘેરૈયા આદિવાસીએ હાથમાં ગુજરી વગાડી મનસુખ વસાવાને જબરે યાદ કરતે યે, વેલા વેલા આવજ રે ..

ProudOfGujarat

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની હ્યુબેક કલરમાં કામદારોએ કંપની મેનેજમેન્ટનાં તઘલખી નિર્ણય સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતુ

ProudOfGujarat

ગુજરાતમાં આગામી દિવસમાં ઠંડીમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!