Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલીમાં રાષ્ટ્રીય ટકાઉ ખેતી મિશન યોજના હેઠળ ખેડૂત શિબિર યોજાઇ.

Share

ખેડૂતોની આવક બમણી કરવાના તેમજ ખેતીને પ્રાકૃતિક અને ટકાઉ બનાવવાના આશયથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે. આ કડીના ભાગરૂપે NMSA રાષ્ટ્રીય ટકાઉ ખેતી મિશન યોજના હેઠળ અમરેલી જિલ્લાના મોટા અંકડિયા ગામે ખેડૂત શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં નાયબ બાગાયત નિયામક જયરાજવાળા દ્વારા બાગાયતી પાકોની ખેતી અને સહાય યોજના અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જિલ્લામાં આ યોજના હેઠળ ખેડૂતોએ લાભ લેવા માટે શું કરવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કૃષિ અને બાગાયતી ખેતીમાં વિવિધતા અને ક્ષમતા ધરાવતા અમરેલી જિલ્લામાં ખેડૂતોને આ કાર્યક્રમમાં સુવ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં સાથે જિલ્લાના કૃષિ અને પશુપાલન વિભાગના અધિકારી કર્મચારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ઘરૈયા નું આગમન. લુપ્ત થતી ઘેરૈયા પ્રથા ટકાવી રાખતા. વાંકલ ખાતે ઘેર પ્રથા આકર્ષણ નું કેન્દ્ર બન્યું.

ProudOfGujarat

ઝઘડીયા BTP ના ધારાસભ્યએ AAP ના નેતાઓ પર થયેલ હુમલાને વખોડી કહ્યું, સરકાર આતંકવાદ ફેલાવવાનું કૃત્ય કરે છે : છોટુ વસાવા.

ProudOfGujarat

વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાએ ખેડૂતોના ઉભા પાકને થઈ રહેલ નુકશાન અંગે રાજ્ય સરકારને પત્ર લખ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!