Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સંસ્કાર વિદ્યા ભવન શાળાનાં એન્યુઅલ ડે નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.

Share

ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ખાતે આવેલ શ્રીમતી મણીબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન શાળાનો એન્યુઅલ ડે ફંકશન નિમિતે શાળાના બાળકો એ નવરસ થીમ હેઠળ શાળાના ધોરણ 1 થી 9 ના તમામ વિધાર્થીઓએ ભાગ લઈ તારીખ 1 અને 2 ફેબ્રુઆરીએ બે દિવસ ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી તથા કાર્યકમ સમગ્ર વર્ષ દરમિયાન શાળા પ્રવૃતિઓમાં શાળા લેવલે કે જીલ્લા કે પછી રાજ્ય કક્ષા જે વિધાર્થી સારુ પરફોર્મન્સ બતાવ્યું છે એવા તમામ વિદ્યાર્થીઓને પણ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા તથા આ શાળા દ્વારા અવારનવાર અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે.

આ કાર્યક્રમમાં ખુબ જ મોટી સંખ્યામાં શાળા સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને લઈ સમગ્ર શાળા સંકુલને પણ રંગબેરંગી લાઇટિંગથી ઝગમગ કરી દેવાયું હતું.

Advertisement

Share

Related posts

નગરપાલિકા હદ વિસ્તારની બહાર ગેરકાયદેસર રીતે ફરતી સિટી બસોને બંધ કરવા ભરૂચ જિલ્લા રિક્ષા એસોશિએશને ભરૂચ નગરપાલિકા પ્રમુખને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

લીંબડી હાઇવે ઓટો પાર્ટસ પાર્થ ગેરેજમાં તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

વડતાલધામના દેવોનો ૧૯૯ મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!