Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાહોદના આમલી ખજુરીયામાં એક નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટતાં 6 શ્રમિકો ઈજાગ્રસ્ત

Share

દાહોદના આમલી ખજુરીયામાં એક નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો હતો. આ ટાંકીનો સ્લેબ તુટતા કામ કરી રહેલા શ્રમિકોમાંથી 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. આ શ્રમિકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની વધુ વિગત મુજબ દાહોદના આમલી ખજૂરીયામાં નલ સે જલ યોજના અંતર્ગત એક નિર્માણધીન ટાંકીનો સ્લેબ તુટ્યો હતો. આ ઘટના સવારે બની હતી જ્યારે નિયમીત રીતે શ્રમિકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક સ્લેબ તુટી ગયો હતો જેથી 6 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘાયલ શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ તંત્રને થતા ઘટનાસ્થળે પહોંચ્યુ હતું. હાલ આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગના તલાટીઓ આજે માસ સીએલ મુકી તાલુકા પંચાયત કચેરી ખાતે બેનરો સાથે આંદોલન કરશે

ProudOfGujarat

ભરૂચ સુપર માર્કેટ વિસ્તારમાં બુટલેગરો દ્વારા ત્રણ લોકોનુ અપહરણ કરી ધાબા પરથી ફેંકવાની ઘમકી અને મારામારી પ્રકરણમાં બે આરોપીઓના જામીનના મંજુર કરતી ભરૂચ સેસન્સ કોર્ટ

ProudOfGujarat

ભરૂચ : આજરોજ દશાલાડની વાડીમાં ઉકાળા તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!