Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાહોદના આમલી ખજુરીયામાં એક નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટતાં 6 શ્રમિકો ઈજાગ્રસ્ત

Share

દાહોદના આમલી ખજુરીયામાં એક નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો હતો. આ ટાંકીનો સ્લેબ તુટતા કામ કરી રહેલા શ્રમિકોમાંથી 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. આ શ્રમિકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની વધુ વિગત મુજબ દાહોદના આમલી ખજૂરીયામાં નલ સે જલ યોજના અંતર્ગત એક નિર્માણધીન ટાંકીનો સ્લેબ તુટ્યો હતો. આ ઘટના સવારે બની હતી જ્યારે નિયમીત રીતે શ્રમિકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક સ્લેબ તુટી ગયો હતો જેથી 6 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘાયલ શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ તંત્રને થતા ઘટનાસ્થળે પહોંચ્યુ હતું. હાલ આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

નર્મદા બંધના પાવરહાઉસ માંથી 45 હજાર ક્યુસેક પાણી છોડતા નર્મદા નદી બે કાંઠે વિયરડેમ થયો ઓવરફ્લો..

ProudOfGujarat

ઉમરપાડામાં વિકાસના કામોનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ/ખાતમુહુર્ત યોજાયુ.

ProudOfGujarat

વિરમગામ શહેર ભાજપ દ્વારા છાસ વિતરણ કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!