Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં કેલ્વીકુવા ગામે દીપડાએ ૩ વાછરડીનો શિકાર કરતાં વનવિભાગે પાંજરૂ મુક્યું

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગ્રા.પંચાયતના સભ્ય મનીષાબેન મયુરભાઇ ભક્તની ખેતી કંબોડીયા ગામની સીમમાં આવેલ છે. ખેતીની સાથે પશુપાલનો વ્યવસાય કરે છે એટલે ખેતરમાં ઢોર-ઢાખર માટે તબેલો બનાવ્યો છે. રાત્રીના અંધકારમા સમયે દીપડાએ પોતાના ખોરાકની શોધમાં ૩ વાછરડીનો શિકાર કર્યો હતો. જેમાં ૨ વાછરડીનું ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વાછરડીને દીપડો સાથે લઈ ગયો હતો. ખેડુતે નેત્રંગ વનવિભાગના આરએફઓ સરફરાઝ ઘાંચીને જાણ કરતાં ખેતરમાં દીપડાને પાંજરે પુરવા તજવીજ હાથધરી પાંજરૂ મુકવામાં આવતા ખેડુતે રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

નેત્રંગ થવા ખાતે એકલવ્ય સાધના વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ધાબળા વિતરણ કરાયા.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા નિર્મિત સરદાર શોપિંગ કોમ્પલેક્સ ખોખલું અને તકલાદી સાબિત થયું જાણો કેમ ?

ProudOfGujarat

ભરૂચ એસ. ટી વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કર્મચારીઓએ રેલી યોજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!