Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં કેલ્વીકુવા ગામે દીપડાએ ૩ વાછરડીનો શિકાર કરતાં વનવિભાગે પાંજરૂ મુક્યું

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગ્રા.પંચાયતના સભ્ય મનીષાબેન મયુરભાઇ ભક્તની ખેતી કંબોડીયા ગામની સીમમાં આવેલ છે. ખેતીની સાથે પશુપાલનો વ્યવસાય કરે છે એટલે ખેતરમાં ઢોર-ઢાખર માટે તબેલો બનાવ્યો છે. રાત્રીના અંધકારમા સમયે દીપડાએ પોતાના ખોરાકની શોધમાં ૩ વાછરડીનો શિકાર કર્યો હતો. જેમાં ૨ વાછરડીનું ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વાછરડીને દીપડો સાથે લઈ ગયો હતો. ખેડુતે નેત્રંગ વનવિભાગના આરએફઓ સરફરાઝ ઘાંચીને જાણ કરતાં ખેતરમાં દીપડાને પાંજરે પુરવા તજવીજ હાથધરી પાંજરૂ મુકવામાં આવતા ખેડુતે રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપળા નગર પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનાર કે વેચનાર વેપારીઓ પર તવાઈ 

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમ સપાટી માં ધરખમ વધારો….

ProudOfGujarat

સંત વિજયદાસ સેવાશ્રય ટ્રસ્ટ, ડાકોર દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!