Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાલયને ડીઇઓની નોટિસ : છાત્રોને પોતાની શાળામાંથી નોટબુક-સ્ટેશનરી ખરીદવા ફરજ પાડતાં હતાં

Share

ભરૂચ.

ભરૂચ શહેરમાં ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી વિદ્યાલય દ્વારા તેમની શાળામાં અભ્યાસ કરતાં છાત્રોને શાળાના નામ અને લોગોવાળા નોટબુક છપાવીને  તે વિતરણ કરવામાં આવતાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવી છે. અને સંસ્થા સામે કાર્યવાહી કેમ ન કરવી તે બાબતે એક દિવસમાં બિનચૂક રીતે લેખિતમાં ખુલાસો આપવા તાકીદ કરી છે.
ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુએકશ એક્ટ 2009ના ઠરાવમાં જણાવ્યાનુંસાર કોઇ પણ શાળા બાળકોને અમુક એજન્સી મારફત લેખન સામગ્રી ખરીદવા કે ચોક્કસ છાપની બનાવટની લેખન સામગ્રી ખરીદવા દબાણ નહીં કરી શકાય. જે અંગે તાજેતરમાં જ જિલ્લા શિક્ષણાધિકારીએ દરેક શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને તાકીદ કરતું સર્ક્યુલર બહાર પાડ્યું હતું. દરમિયાનમાં ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી વિદ્યાલય દ્વારા તેમના શાળામાં પ્રવેશ મેળવનારા અને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પોતાની સંસ્ાથાના નામ અને લોગોવાળા નોટબુક છુપાવી તે જ લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને મળી હતી. જેના પગલે શિક્ષણાધિકારીએ જરૂરી તપાસ કરાવતાં મામલામાં તથ્યતાં જણાતાં શાળા સંચાલકોને નોટિસ ફટકારી છે. સંસ્થા સામે કાર્યવાહી કેમ ન કરવી તે બાબતે એક દિવસમાં બિનચૂક રીતે લેખિતમાં ખુલાસો આપવા તાકીદ કરી છે.
Advertisement

Share

Related posts

જુગારની આદત અને પરસ્ત્રી સાથે સંબંધમાં ત્રાસ આપનાર પતિ સામે ફરિયાદ

ProudOfGujarat

અંકલેશ્વર ના દીવા રોડ ઉપર આવેલ સર્જન બંગ્લોઝ ના વોચ મેન ગંભીર હાલત માં ઘાયલ મળી આવ્યા તેની સારવાર દરમ્યાન મોત થતાં તેની હત્યા થઈ હોવાની શંકા પોલીસે સેવી રહી છે

ProudOfGujarat

સેવાશ્રમ રોડ પર વ્યાજખોરે લારી ચલાવનારને ઢીબી નાંખ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!