ભરૂચ
ભરૂચની નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે દિપક ફાઉન્ડેશન તેમજ અન્ય કંપનીઓ તેમજ વનવિભાગના સહયોગથી વર્લ્ડ મેન્ગ્રોવ્સ ડે નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરિયા કિનારે રહેતાં સાગરખડૂઓને સાથે રાખીને દરિયા કિનારે મેન્ગ્રુવ્સના વૃક્ષોનું વાવતેર કરવાથી થતો ફાયદાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. મેન્ગ્રુવ્સના વૃક્ષોથી દરિયા કિનારેની જમીનનું ધોવાણ અટકે છે. તેમજ જળસૃષ્ટીને એક જૈવિક વિવિધતા સભર વાતાવરણ મળી રહેતાં જળચર પ્રાણીઓની સંખ્યામાં વધારો થાય છે. પ્રદુષણ ઘટે છે તે સહિતની માહિતી આપવામાં આવી હતી.
