Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતે ફરી એક ચોરીનો બનાવ : પોલીસ માટે પરિસ્થિતિ બની કપરી

Share

 

અંકલેશ્વર ખાતે ફરી એક ચોરીનો બનાવ સામે આવ્યો. દરરોજ દિવસ દરમ્યાન ભરૂચ અંકલેશ્વર ખાતે ૨ થી ૩ ચોરીના બનાવો નોંધાય જ છે ત્યારે અંકલેશ્વર ભરૂચ પોલીસ માટે આ પરિસ્થિતિ પણ કપરી બની છે.

Advertisement

અંકલેશ્વરના કાપોદરા પાટિયા પાસે આવેલ સાંઈ શ્રધ્ધા રેસિડેન્સીમાં મકાન નંબર એ/૩૯ માં રહેતા સંજય હીરામણ તિવારી નાં ઘરમાં તસ્કરો એ દરવાજાનો નકુચો તોડી ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

જાણવા મળતી માહિતી મુજબ તારીખ ૧૭-૦૨-૨૦૧૮ નાં રોજ સંજય હીરામણનાં પત્ની સુરત ખાતે વુમન્સ હોસ્પિટલની દવા ચાલતી હોય દવા લેવા માટે ગયા હતા તેઓ સાંજના ૫ વાગ્યાના કલાકે ઘર બંધ કરીને ગયા હતા. અને તબિયત ખરાબ હોવાથી તેમને સુરત ખાતે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે તારીખ ૧૯-૦૨-૨૦૧૮ નાં રોજ પરત આવતા ઘરના દરવાજાના નકુચો તૂટેલો હતો. ઘરમાં તપાસ કરતા સામાન વેર વિખેર હતો અને લોખંડની તિજોરી માંથી પણ માલ સામાન ગાયબ હતો. જેમાં ૧ મંગળસૂત્ર ૨ તોલાનું , ૨. સોનાની વીંટી નંગ ૨, ૩. કાનના ઝુમર ૧ જોડી – ૧ તોલા, અને ૪ કાનની બુટી ૧ જોડી ૧ તોલાની એમ મળી કુલ ૫ તોલાના સોનાના દાગીના તથા રોકડ રકમ ૪૦,૦૦૦/- ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આમ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ૧,૬૫,૦૦૦/- ની મત્તાની ચોરી કરી ગયા હતા. જે અંગે સંજય ભાઈ એ પોલીસે ફરિયાદ કરી પોલીસે ગુણો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

મધ્યપ્રદેશમાં બસ પુલ પરથી નીચે ખાબકતાં 15 ના મોત, 20 થી વધુ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

વડોદરા સુગર સામે ઉપવાસનાં અંતિમ દિવસે હાર્દિક પટેલે ઉપવાસી ખેડુતની મુલાકાત લઈ સરકાર સામે રણટંકાર કર્યો.

ProudOfGujarat

રાજપીપલા : ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારીએ લોકો ગેરમાર્ગે દોરાય તેવી ખોટી બાબતોનો પ્રચાર-પ્રસાર સોશીયલ મીડીયામાં કરતા આરોપી સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat
error: Content is protected !!