Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતે ફરી એક ચોરીનો બનાવ : પોલીસ માટે પરિસ્થિતિ બની કપરી

Share

 

અંકલેશ્વર ખાતે ફરી એક ચોરીનો બનાવ સામે આવ્યો. દરરોજ દિવસ દરમ્યાન ભરૂચ અંકલેશ્વર ખાતે ૨ થી ૩ ચોરીના બનાવો નોંધાય જ છે ત્યારે અંકલેશ્વર ભરૂચ પોલીસ માટે આ પરિસ્થિતિ પણ કપરી બની છે.

Advertisement

અંકલેશ્વરના કાપોદરા પાટિયા પાસે આવેલ સાંઈ શ્રધ્ધા રેસિડેન્સીમાં મકાન નંબર એ/૩૯ માં રહેતા સંજય હીરામણ તિવારી નાં ઘરમાં તસ્કરો એ દરવાજાનો નકુચો તોડી ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

જાણવા મળતી માહિતી મુજબ તારીખ ૧૭-૦૨-૨૦૧૮ નાં રોજ સંજય હીરામણનાં પત્ની સુરત ખાતે વુમન્સ હોસ્પિટલની દવા ચાલતી હોય દવા લેવા માટે ગયા હતા તેઓ સાંજના ૫ વાગ્યાના કલાકે ઘર બંધ કરીને ગયા હતા. અને તબિયત ખરાબ હોવાથી તેમને સુરત ખાતે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે તારીખ ૧૯-૦૨-૨૦૧૮ નાં રોજ પરત આવતા ઘરના દરવાજાના નકુચો તૂટેલો હતો. ઘરમાં તપાસ કરતા સામાન વેર વિખેર હતો અને લોખંડની તિજોરી માંથી પણ માલ સામાન ગાયબ હતો. જેમાં ૧ મંગળસૂત્ર ૨ તોલાનું , ૨. સોનાની વીંટી નંગ ૨, ૩. કાનના ઝુમર ૧ જોડી – ૧ તોલા, અને ૪ કાનની બુટી ૧ જોડી ૧ તોલાની એમ મળી કુલ ૫ તોલાના સોનાના દાગીના તથા રોકડ રકમ ૪૦,૦૦૦/- ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આમ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ૧,૬૫,૦૦૦/- ની મત્તાની ચોરી કરી ગયા હતા. જે અંગે સંજય ભાઈ એ પોલીસે ફરિયાદ કરી પોલીસે ગુણો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વડોદરા : 15 વર્ષની કિશોરી સેનેટરી નેપ્કિન બાબતે કરી રહી છે ગામડાની મહિલાઓને જાગ્રત : 15 પોલીસ સ્ટેશન બહાર સેનિટરી નેપ્કિન મશીન મુકાવ્યાં.

ProudOfGujarat

નડિયાદ બાર એસોસિએશનની ફિઝિકલ રીતે કોર્ટ ચાલુ કરવાની માંગ સાથે પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

ભરૂચ : આજથી જયા પાર્વતી વ્રતનો આરંભ , જાણો શા માટે વ્રતની કરાઇ છે ઉજવણી ..?

ProudOfGujarat
error: Content is protected !!