અંકલેશ્વરમાં વિવિધ સામાજીક સેવાકીય પ્રવૃતિઓ દ્વારા સેવાની ધૂણી ધખાવનાર માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આદર્શ સોસાયટીના આશુતોષ મહાદેવ મંદિર ખાતે રંગ રસિયા નવરાત્રી મહોત્સવ-2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આસો વદ એકમ નવરાત્રીના પ્રથમ દિવસે માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંદીપ પટેલ સહિતના આગેવાનો દ્વારા આશુતોષ મહાદેવ મંદિરના પટાંગણમાં વિધિવત રીતે માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું.અને જનસમાજમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
Advertisement
