Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા જયંતી નિમિતે દાંડિયા બજારના પ્રાચીન નર્મદા મંદિરે દૂધાભિષેક, ભક્તિભાવથી ઉજવણી

Share

ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અતિપ્રાચીન નર્મદા મંદિરે નર્મદા જયંતી નિમિતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ઉજવાતી માઁ નર્મદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી આ વર્ષે પણ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.

પૌરાણિક માન્યતાઓ મુજબ ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અવતરણ લીધેલું અને રાજા બલીએ અશ્વમેઘ યજ્ઞ કરેલા તે પવિત્ર ભૂમિ પર આજે વહેલી સવારથી જ ભક્તોની મોટી સંખ્યામાં અવરજવર જોવા મળી હતી. આ અવસરે માઁ નર્મદાનું દૂધથી વિધિવત અભિષેક કરવામાં આવ્યો હતો.

Advertisement

મંદિર પરિસરમાં પૂજા–અર્ચના, આરતી અને ‘જય નર્મદા’ના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું હતું. નર્મદા જયંતીની ઉજવણીને લઈ ભરૂચ શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું.


Share

Related posts

તારક મેહતા શો છોડી હવે આ કામ કરવા લાગ્યો ટપ્પૂ : 9 વર્ષ સુધી સીરિયલમાં કર્યું હતું કામ.

ProudOfGujarat

દેશના સૌથી મોટા લોકશાહીના પર્વ ને મનાવવા સાથે 2019ના ભારતનું ભાવિ ઘડવામાં પોતાના એક મતથી યોગદાન આપવા ભરૂચ લોકસભા બેઠકના 15.64 લાખ મતદારો સાથે જિલ્લા ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યું છે.

ProudOfGujarat

રાજય સરકારે આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ ૫ લાખથી વધારીને ૧૦ લાખ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!