Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલીમાં કાર-બાઈકની ટક્કરમાં ડેડીયાપાડાના બે યુવકોના મોત

Share

અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતે બે યુવાનોના જીવ લઈ લીધા હતા. પાનોલી નજીક કાર અને બાઈક વચ્ચે ભારે ટક્કર થતાં બાઈક પર સવાર બંને યુવાનો રોડ પર ફેંકાઈ ગયા હતા. ગંભીર ઇજાઓના કારણે બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.

અકસ્માતની જાણ થતાં જ પાનોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનો ડેડીયાપાડા તાલુકાના રહેવાસી સૂચિત વસાવા અને જયેન્દ્ર વસાવા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત બાદ વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.


Share

Related posts

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા વાહન અકસ્માતનાં બનાવોનો તુલનાત્મક અભ્યાસ.

ProudOfGujarat

નર્મદાના ચંદપુરાના ગ્રામજનો એ પાણી આપો, શિક્ષણ આપો, આવાસ આપોનાં સુત્રો સાથે તિલકવાડા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વધુ ત્રણ લોકો ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આવતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!