ભરૂચ ::
શહેરના કટોકોલ દરવાજા વિસ્તારમાં એક રહેણાંક મકાનની બહાર લગાવવામાં આવેલી જાળીમાં એક કૂતરું ફસાઈ જતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને સંપર્ક કરવામાં આવ્યો હતો.
Advertisement
કોલ મળતા જ ટ્રસ્ટના રમેશભાઈ દવે સાથે વ્રજ શાહ અને આયુ કાપડિયા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ટીમે સાવધાનીપૂર્વક કામગીરી હાથ ધરી જાળીમાં ફસાયેલા કૂતરાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું.
રેસ્ક્યૂ કામગીરી બાદ કૂતરાને કોઈ ગંભીર ઈજા ન હોવાનું જણાતા તેને રાહત મળી હતી. સ્થાનિક લોકોએ ટ્રસ્ટની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી.
