ભરૂચ:
દેશના કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં અગ્રણી સંસ્થા GNFC પોતાની 50મી વર્ષગાંઠનું ભવ્ય સમારોહ 16 જૂન, 2026ના રોજ GNFC ટાઉનશિપ, નર્મદાનગર, ભરૂચ ખાતે આયોજિત કરી રહી છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
GNFCના પાંસ દાયકાના વિકાસ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં કંપનીના યોગદાનને ઉજાગર કરવાનો આ પ્રસંગ વિશેષ મહત્વનો ગણાય છે. સમારોહમાં ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને GNFCના ચેરમેન મનોજ કુમાર દાસ (IAS) તેમજ GNFCના મેનેજિંગ ડિરેક્ટર રાજકુમાર બેનીવાલ (IAS) પણ ઉપસ્થિત રહેશે.
GNFCએ વર્ષો દરમિયાન કૃષિ, પર્યાવરણ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેની ‘નિમ પ્રોજેક્ટ’ દ્વારા 4.5 લાખથી વધુ ભૂમિહીન મહિલાઓને રોજગારી મળી છે અને 50 ગામોને મોડેલ વિલેજ તરીકે વિકસાવવાની યોજનાએ ભવિષ્ય માટે નવી દિશા દર્શાવી છે.
આ સુવર્ણ જયંતિ સમારોહ GNFCની સફળતા અને વિકાસ યાત્રાનું પ્રતિબિંબ હશે અને રાજ્ય તથા રાષ્ટ્રના વિકાસમાં એની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.
