હાલમાં એક કૂતરાની બરોળમાં (સ્પ્લીન) ગાંઠ હોવાનું નિદાન થતાં તાત્કાલિક સારવાર માટે જટિલ સર્જરી (સ્પ્લીનેક્ટોમી) કરવાની જરૂરીયાત ઊભી થઈ. આ સર્જરી ડૉ. કૃણાલ અને ડૉ. હિમાલી દ્વારા ખૂબ જ નિપુણતાપૂર્વક અને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી.
Advertisement
સ્પ્લીન કે બરોળ શરીરનું મહત્વપૂર્ણ અંગ છે, જેને દૂર કરવી મોટી જટિલતા ભરેલી હોય છે. સારવાર વિના આ ગાંઠથી કૂતરાની તબિયત ગંભીર રીતે પ્રભાવિત થતી. ડૉક્ટરો દ્વારા યોગ્ય નિદાન અને સમયસર થયેલી સર્જરીની મદદથી કૂતરાની તબિયતમાં ઝડપથી સુધારો જોવા મળ્યો છે.
સર્જરી બાદ કૂતરો સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે અને હાલમાં તે સ્વસ્થ થઈ રહ્યો છે. આ સફળ સર્જરી ડૉ. કૃણાલ અને ડૉ. હિમાલીની કુશળતા અને સમર્પણનું દાખલું છે. આ પ્રકારની જટિલ સર્જરીથી પશુઓના આરોગ્ય સુધારવામાં મોટી મદદ મળે છે અને પશુ ચિકિત્સા ક્ષેત્રે પણ નવી આશા જગાવે છે.
