નર્મદા સ્નાન કરી ભક્તોએ ધન્યતા અનુભવી…
Advertisement
સોમવતી અમાસના પવિત્ર અવસરે ભરૂચ નજીક નર્મદા કિનારે આવેલા પ્રખ્યાત ઝાડેશ્વર ના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ ઉત્સાહ અને ભક્તિમય માહોલ વચ્ચે હજારો ભક્તોએ પવિત્ર નર્મદા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી……..
સોમવતી અમાસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ હોવાના કારણે, વહેલી સવાર થી જ ભક્તો નર્મદા ઘાટ પર એકત્રિત થવા લાગ્યા હતા. પવિત્ર નર્મદા માં આસ્થાની ડૂબકી લગાવી હતી…
નર્મદા ના પાવન તટે પર બિરાજમાન ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના દર્શન માટે ભક્તો ઉમટ્યા હતા. તે સાથે હર હર મહાદેવ” અને “બમ બમ ભોલે” ના નારાઓથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ જળાભિષેક, દૂધાભિષેક અને બિલિપત્ર ચઢાવીને ધન્યતા અનુભવી હતી અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી…..
