Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર પંથકમાં વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી: 200 એકરથી વધુ પાક પાણીમાં ગરકાવ, વળતરની માંગ : ઉગ્ર સતત વરસાદથી કેળ, તુવેર અને શાકભાજીના પાકને ભારે ફટકો; પાણી ભરાઈ રહેતાં બિયારણમાં લાગી ફૂગ, પુનઃ વાવણીનો ખર્ચ ખેડૂતો માટે બન્યો નવી મુશ્કેલી

Share

 

ભરૂચ : ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા મુશળધાર વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. અંકલેશ્વર પંથકમાં 200 એકરથી વધુ વિસ્તારમાં ઉભેલો પાક વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડ્રોન દૃશ્યોમાં ખેતરો દૂર-દૂર સુધી પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા, જે વરસાદથી સર્જાયેલા નુકસાનની ગંભીરતા દર્શાવે છે.

Advertisement

સતત વરસાદ અને ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાના કારણે કેળ, તુવેર તેમજ વિવિધ લીલા શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક ખેતરોમાં પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જ્યારે બિયારણમાં ફૂગ લાગી જતાં પાક બચાવવાની આશા પણ ધૂંધળી બની છે.

પાક બરબાદ થતાં ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હવે ફરીથી વાવણી કરવા માટે વધારાનો ખર્ચ પણ તેમના માથે આવી પડ્યો છે. એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વધતા ખર્ચના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કથળી રહી છે.

અસરગ્રસ્ત ખેડૂતોએ સરકારને તાત્કાલિક નુકસાનનો સર્વે હાથ ધરવા, યોગ્ય વળતર જાહેર કરવા અને પુનઃ વાવણી માટે આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર સહાય નહીં મળે તો આ નુકસાનમાંથી બહાર આવવું મુશ્કેલ બનશે અને આગામી ખેતી પર પણ તેની ગંભીર અસર પડશે.


Share

Related posts

લક્સઝરી બસમાં મુંબઈ થી ભરૂચ લવતો વિદેશી દારૂ ઝડપાયો.જાણો કેવી રીતે અને ક્યાં ?

ProudOfGujarat

જુનાગઢ: ભાજપના કોર્પોરેટર સહિત આઠ લોકો જુગારના રમતા ઝડપાયા

ProudOfGujarat

સુરેન્દ્રનગર-લખતર વચ્ચે દેદાદરા ગામ પાસે થયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!