Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જય ભારત રીક્ષા એસોસિએશન દ્વારા ગોલ્ડન બ્રિજ ઉપર થી રીક્ષાઓ ચાલુ રાખવા બાબતે જીલ્લા સમાહર્તા ને આવેદન પત્ર પાઠવ્યું હતું…………

Share

ગોલ્ડન બ્રિજ ની સમાંતર ચાલતા નવા બ્રિજ ના કામગીરી ને અનુલક્ષી તંત્ર દ્વારા અગાઉ જાહેરનામું બહાર પાડ્યું હતું અને જાહેરનામા માં જણાવ્યા મુજબ ગોલ્ડન બ્રિજ ઉપર થી આગામી દિવસો માં માત્ર ટુ વ્હીલર ગાડીઓ જ જાહેરનામા માં દર્શાવેલ સમયગાળા દરમિયાન પસાર થઇ શકશે જેના અનુસંધાન માં ભરૂચ – અંકલેશ્વર વચ્ચે દોડતી ૫૦૦ થી વધુ રીક્ષા ચાલકો માટે તેઓ ની રોજી રોટી તેમજ આજુ બાજુ ના ગામજનો અને  વાર્ષિક પરીક્ષા ની તૈયારી કરી ચૂકેલા વિદ્યાર્થીઓ ના અને કોલેજ તેમજ શાળા એ આવતા વિદ્યાર્થીઓ ઉપર જેની સીધી અસર પડશે તેમ આવેદન પત્ર માં જણાવ્યું હતું …….

Advertisement

 

આજ રોજ જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ જીલ્લા સમાહર્તા ને સમગ્ર બાબત અંગે ની રજૂઆત કરી આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે જાહેરનામા મુજબ ના સમય ગાળા દરમિયાન રીક્ષા ઓને ચાલુ રાખવામાં આવે અને જો તંત્ર  તેઓની માંગણીઓ સંતોષે તેમજ વહીવટી તંત્ર દ્વારા લેવાયેલ ખોટા નિર્ણય ના વિરુદ્ધ માં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી…..


Share

Related posts

નડિયાદ : ઇન્સ્ટાગ્રામ પર ૬૦ હજારના ૬ લાખ કરવાની જાહેરાત જોઇ યુવકે ૬૦ હજાર ગુમાવ્યા.

ProudOfGujarat

અમદાવાદનાં બાપુનગરમાં વિકાસ એસ્ટેટમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં 25 દુકાનો સળગી

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં મલેકવાડનાં ચાર યુવાનો આલીયાબેટ નજીક નદીમાં ડૂબી જતાં 3 નાં મૃતદેહ મળી આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!