Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર રાજપીપળા રોડ પર અજાણ્યા વાહનની ટકકરે ૪૦ વર્ષીય ઇસમનું મોત.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર રાજ્પીપળા રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર ઇજાઓના પગલે એક ૪૦ વર્ષીય ઇસમનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.બનાવ અંગે જી.આઇ.ડી.સી પોલીસે અકસ્માત થી થયેલ મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર તા ૨૦મી ના રોજ ૧૧ કલાકે વિજયસિંગ બંસરોપનસિંહ રાજ્પુત ઉ.વર્ષ.૪૦ રહે, મીરા નગર, પ્લોટ નં. ૩૩૯,સારંગપુર, અંકલેશ્વરના નુર મસ્જીદ, બાપુનગર રોડ થી પસાર થઈ રહ્યા હતા.દરમિયાન પુરઝડપે આવતા કોઇ અજાણ્યા વાહને તેમને અડફેટે લેતાં ડાબા કાને અને ડાબા પગે નળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમાં વિજયસિંગનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ જી.આઇ.ડી.સી.પોલીસને થતા તેમણે રિતેશસિંગ નંદકિશોર્સિંગ રાજપૂતની ફરિયાદ નોંધી.અકસ્માતમાં થયેલ મોતનો ગુનો દાખલ કરી મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડી અકસ્માત સર્જી મોત નીપજાવી ફરાર અજાણ્યા વાહનચાલકની શોધ આરંભી છે.


Share

Related posts

ભરૂચ એસ ટી ડેપો નું ભોલાવ વિભાગીય કચેરી પાછળ સ્થળાંતર થશે સ્ટેશન રોડ પર ના હાલ ના ડેપો ને પીપીપી ધોરણે અદ્યતન કરવાના હેતુ થી નિર્ણય લેવામાં આવ્યો છે….

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસમાં કભી ખુશી કભી ગમનો માહોલ : શહેર કોંગ્રેસના મંત્રી પદ પરથી એડવોકેટ સરફરાજ શેખે આપ્યું રાજીનામું.

ProudOfGujarat

આજરોજ ભરૂચની નંદેલાવ ચોકડી ખાતેથી સરદાર પટેલ એકતા રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!