Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ દ્વારા દેવામાફી મુદ્દે ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્યોને આવેદન પત્ર પાઠવાયા.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ દ્વારા ભરૂચના તમામ ધારાસભ્યોને આજરોજ આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા.પ્રત્યેક ધારાસભ્યને ખેડૂત હિતરક્ષક દળના પ્રતિનિધિઓએ આપેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે આપ અમારા વિસ્તારના ખેડૂતોના મતથી ચૂંટાયેલા ધારાસભ્યો છો ત્યારે તારીખ ૧૧/૦૭/૧૯ ના રોજ હર્ષદભાઈ રીબડીયા એક ખાનગી વિધેયક લાવી રહ્યા છે. એમાં ગુજરાતના ખેડૂતોનું સંપર્ણ દેવું માફ કરવાનો કાયદો પસાર કરવાની વાત છે.આપના મત વિસ્તારમાં બહુમતી ખેડૂતોની છે.ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂતોના દેવા માફીના કાયદાની તરફેણમાં મત આપી ગુજરાતના ખેડૂતોને દેવા મુક્ત કરવામાં મદદ કરવા ધારાસભ્યોને વિનંતી કરવામાં આવી છે.વધુમાં જણાવ્યું છે કે ખેડૂતોની આર્થિક સ્થિતિ દિવસે-દિવસે બદથી બદતર બનતી જાય છે.ખેડૂતે લીધેલા બેંકના ધિરાણના વ્યાજ ભારણથી દેવાના ડુંગર નીચે દબાયેલો છે જેને ઉગારવાનો આ સમય છે.કોણ ખેડૂતની પડખે છે અને ખેડૂતની વિરુદ્ધ માં છે તે દૂધ નું દૂધ અને પાણી નું પાણી દેખાડવાના સમયે આ બિલ પરની ચર્ચામાં આપ ખેડૂતોની દેવા મુક્તિની તરફેણમાં મતદાન કરો તેવી વિનંતી ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્યોને કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

લીંબડીમાં લેકયુ રોડ પર હોર્ડીંગ રાહદારી પર પડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ProudOfGujarat

અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક ટ્રક અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના વાગરા તાલુકા ના ખોજબલ ગામે પતિ-પત્ની ના ઝઘડામાં પતિ એ પત્ની ને માથા ઈજાઓ પોહોચાડતા પત્ની નું સારવાર દરમિયાન મોત નિપજતા ભારે ખળભળાટ મચ્યો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!