Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ દ્વારા દેવામાફી મુદ્દે ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્યોને આવેદન પત્ર પાઠવાયા.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ દ્વારા ભરૂચના તમામ ધારાસભ્યોને આજરોજ આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા.પ્રત્યેક ધારાસભ્યને ખેડૂત હિતરક્ષક દળના પ્રતિનિધિઓએ આપેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે આપ અમારા વિસ્તારના ખેડૂતોના મતથી ચૂંટાયેલા ધારાસભ્યો છો ત્યારે તારીખ ૧૧/૦૭/૧૯ ના રોજ હર્ષદભાઈ રીબડીયા એક ખાનગી વિધેયક લાવી રહ્યા છે. એમાં ગુજરાતના ખેડૂતોનું સંપર્ણ દેવું માફ કરવાનો કાયદો પસાર કરવાની વાત છે.આપના મત વિસ્તારમાં બહુમતી ખેડૂતોની છે.ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂતોના દેવા માફીના કાયદાની તરફેણમાં મત આપી ગુજરાતના ખેડૂતોને દેવા મુક્ત કરવામાં મદદ કરવા ધારાસભ્યોને વિનંતી કરવામાં આવી છે.વધુમાં જણાવ્યું છે કે ખેડૂતોની આર્થિક સ્થિતિ દિવસે-દિવસે બદથી બદતર બનતી જાય છે.ખેડૂતે લીધેલા બેંકના ધિરાણના વ્યાજ ભારણથી દેવાના ડુંગર નીચે દબાયેલો છે જેને ઉગારવાનો આ સમય છે.કોણ ખેડૂતની પડખે છે અને ખેડૂતની વિરુદ્ધ માં છે તે દૂધ નું દૂધ અને પાણી નું પાણી દેખાડવાના સમયે આ બિલ પરની ચર્ચામાં આપ ખેડૂતોની દેવા મુક્તિની તરફેણમાં મતદાન કરો તેવી વિનંતી ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્યોને કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

રોજગારીના અભાવે હાલાકી : છોટાઉદેપુરમાં જીઆઇડીસી અને ઉદ્યોગ સ્થપાય તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ બોડેલી નાયબ કલેક્ટરને આવેદન આપ્યુ.

ProudOfGujarat

વડતાલધામ દ્વિશતાબ્દિ મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ (મંદિર) અંકલેશ્વરના આંગણે સત્સંગ સભા યોજાઈ.

ProudOfGujarat

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના NSS વિભાગનો વાર્ષિક શિબિરનો શુભારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!