Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નડિયાદ ગામના સરપંચ વિરુદ્ધ સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કર્યો હતો.

Share

જંબુસર તાલુકાના નડિયાદ ગામના સરપંચ આદિવાસી રાઠોડ સમાજની સ્મશાનની જમીન પચાવી પાડવાની કોશિશ કરી રહ્યા હોવાની, તેમજ આદિવાસી તેમજ રાઠોડ સમાજ પર અત્યાચાર કરતા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રચંડ વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં એક યુવાન તો જીવતે જીવ કલેક્ટર કચેરી ખાતે મરણ સૈયા ઉપર સૂઈ જઈને અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ વિરોધ પ્રદર્શન બાદ ગ્રામજનોએ જિલ્લા કલેકટરને મળીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને ગામનાં સરપંચ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપતી ભરૂચ ગ્રામ્ય પોલીસ

ProudOfGujarat

સુરત : સિહોર તાલુકાના વરલ ગામે વેક્સિનેશ સર્ટીફિકેટમાં બહાર આવેલો ચોંકાવનારો કિસ્સો : 20 વર્ષ પહેલા મૃત્યુ પામેલાને આપી રસી !!

ProudOfGujarat

વરસાદી આફત -અંકલેશ્વર માં વૃક્ષ ધરાસાઈ થયા બાદ વીજ પોલ તૂટી પડતા સ્થાનિકોમાં દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!