Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં મુંડા ફળિયામાં કોરોના વાઇરસથી બે લોકો સંક્રમિત થયાની આશંકા તંત્ર દોડીયું.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસ હજુ હાર માનવા તૈયાર નથી. આજે શહેરનાં મુંડા ફળિયામાં કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાનાં બે શંકાસ્પદ દર્દીઓ હોવાનું જણાતા જ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જયારે અત્રે ઉલ્લેખ કરવો રહીયો કે અહીં કાકી અને ભત્રીજાનું કોરોના સંક્રમણનાં કારણે મોત થયું હતું. ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાનાં દર્દીઓમાં 25 નો આંકડો પહોંચ્યો હતો જેમાં 14 લોકોએ કોરોના વાઇરસને હરાવી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જયારે હજુ પણ કોરોના વાઇરસ હારવા તૈયાર નથી. ભરૂચ શહેરનાં મુંડા ફળિયામાં વધુ બે લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાનું બહાર આવતાં શંકાસ્પદ કેસ હોવાથી જીલ્લાનું આરોગ્ય તંત્ર અને જીલ્લાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું.

Advertisement

Share

Related posts

જીએસટીમાં ઘટાડો ઓર્ગેનાઇઝ્ડ ડ્રાય ફ્રૂટ્સ ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર બનશે

ProudOfGujarat

રાજ્ય ચૂંટણી આયોગે ભરૂચ જિલ્લાની ૪ નગરપાલિકાઓની બેઠકોનું કોસ્ટર જાહેર કર્યું 

ProudOfGujarat

વડોદરા : કરજણના સંત રાજુગીરી મહંતે નારેશ્વરથી કરજણ કાવડ લઈને પદયાત્રા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!