Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના તીર્થ નગરમાં અમદાવાદથી આવેલ પરિવારનાં બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારને આરોગ્ય તપાસ માટે મોકલી આપી બાળકને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ નહીં વધે તે માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. પરંતુ બહારથી આવેલા લોકોના કારણે ફરી જિલ્લામાં કોઈને કોઈ કોરોના પોઝિટિવ દર્દી હોવાનો રિપોર્ટ બહાર આવે છે. ત્યાં અંકલેશ્વરના તીર્થ નગરમાં અમદાવાદથી આવેલ બાળકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદથી આવેલ પરિવારને આરોગ્ય તપાસમાં છ વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને લઇ તેના પરિવારજનોને તાત્કાલિક ધોરણે ફરી આરોગ્ય તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે બાળકને જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 38 પર પહોંચી છે, 3 લોકોના મોત થયા છે, જ્યારે 29 લોકો સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના ૩૦૭ ગામ તળાવો તથા ૧૫૩ ચેકડેમો લોકભાગીદારીથી ઉંડા કરવામાં આવશે

ProudOfGujarat

ભરૂચમાં વરસાદી માહોલ જામતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

ProudOfGujarat

આવશ્યક વસ્તુઓની આડમાં અન્ય ધંધાઓ ના ચાલે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!