Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ ઓવારા નજીક એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો.

Share

ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદીમાંથી મૃતદેહો મળી આવવાનો સિલસિલો ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કેટલાંક સમય પહેલા કેબલબ્રિજ પરથી બે પ્રેમી પંખીડાઓએ નદીમાં પડતું મુકયું હતું. ત્યારબાદ એક જુવાન યુવતીએ નદીમાં ઝંપ લાવ્યું હતું. તાજેતરમાં સુપર માર્કેટ વિસ્તારમાં રહેતા યુવકનો મૃતદેહ દશાશ્વમેઘ ઘાટ જવાના રસ્તા પર પુલ નીચેથી મળી આવ્યો હતો. ત્યારબાદ આજરોજ એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ દશાશ્વમેઘ ઘાટ ખાતેથી નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. શ્રાવણ માસના દિવસોમાં નર્મદા નદીમાં સ્નાન કરવાનું મહત્વ વધુ હોય છે ત્યારે વૃદ્ધ મહિલા સ્નાન કરવા ગઈ હોય અને તેવામાં ડૂબી જતાં મોત થયું હોય તેવી શંકા સેવાય રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ચૌટાનાકાથી સુરવાડી બ્રિજ સુધીના રસ્તા પરનું ગેરકાયદેસર દબાણ હટાવાયું.

ProudOfGujarat

માંગરોળનાં રણકપોરની દૂધ ઉત્પાદક મંડળીનાં પ્રમુખ પદે અંબુભાઈ પટેલ બિનહરીફ વિજેતા થયાં.

ProudOfGujarat

ભરૂચ -અંક્લેશ્વરમાંથી 14 બાંગ્લાદેશીઓ ઝડપાયાં, એસઓજી-એલસીબીનું સંયુક્ત ઓપરેશન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!