Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં કિશનાડ ગામમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

Share

પાલેજ પોલીસ મથકની હદમાં આવેલા ભરૂચ તાલુકાના કિશનાડ ગામમાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તરૂણાબેન હેમેન્દ્રકુમાર મુકેશભાઈ રાવળ હાલ રહે. કિશનાડ મૂળ રહે. ધોળીકુઈ ભરૂચ નાઓ ગતરાત્રીના ૧૧ થી ૧૨:૩૦ વચ્ચે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. તરૂણાબેન તેમના પતિને ત્રણ દિવસથી પોતાના પિયરમાં જવાનું કહેતા હતા. પતિએ પોતાની પત્નીને હાલમાં નાણાં ન હોવાનું જણાવી નાણાં આવશે તો તને પિયર મોકલીશું એમ કહેતા તરૂણાબેનને લાગી આવતા તેણીએ પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ સંદર્ભે તરૂણાબેનના પતિએ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં કાપોદ્રામાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં વૃદ્ધાએ કરી આત્મહત્યા…

ProudOfGujarat

સુરતમાં કરફ્યુના અમલના ધજાગરા ઉડાવતો વીડિયો થયો વાયરલ.

ProudOfGujarat

નડિયાદ : ટીકીટ કેન્સલ કરાવવાના બહાને ગઠિયાએ ચાલાકીથી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવીને રૂપિયા ઉપાડી લીધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!