Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં કિશનાડ ગામમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

Share

પાલેજ પોલીસ મથકની હદમાં આવેલા ભરૂચ તાલુકાના કિશનાડ ગામમાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તરૂણાબેન હેમેન્દ્રકુમાર મુકેશભાઈ રાવળ હાલ રહે. કિશનાડ મૂળ રહે. ધોળીકુઈ ભરૂચ નાઓ ગતરાત્રીના ૧૧ થી ૧૨:૩૦ વચ્ચે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. તરૂણાબેન તેમના પતિને ત્રણ દિવસથી પોતાના પિયરમાં જવાનું કહેતા હતા. પતિએ પોતાની પત્નીને હાલમાં નાણાં ન હોવાનું જણાવી નાણાં આવશે તો તને પિયર મોકલીશું એમ કહેતા તરૂણાબેનને લાગી આવતા તેણીએ પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ સંદર્ભે તરૂણાબેનના પતિએ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા વિવિધ મુક રેલી આવેદનપત્ર અપાયાં: શિક્ષણ, આરોગ્ય, બેરોજગારીનાં મુદ્દે પ્રાંત અધિકારીને રજુઆત :

ProudOfGujarat

નડિયાદ : કણજરી – બોરીયાવી સ્ટેશન નજીક ઇન્ટરસિટી ટ્રેનનું એન્જિન છૂટું પડી ગયું

ProudOfGujarat

વાગરા તાલુકામાં આવેલ પણીયાદરા ગામ ખાતે ઉગ્ર બન્યું આંદોલન……પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસનાં સેલ છોડયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!