Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : માંડલની ૯૭ આંગણવાડી કેન્દ્રમાં કૃમિનાશક દીન ઉજવણી કરવામાં આવી.

Share

અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. ઘટક માંડલમાં કૃમિનાશક દીન ઉજવણી નિમિતે તાલુકા હેલ્થ ઓફિસર દીપકભાઈ, સી.ડી.પી.ઓ મીતાબેન જાની, મુખ્ય સેવિકા આયેશાબેન મુલતાની ઉપસ્થિતિમાં માંડલ આંગણવાડી કેન્દ્ર-૨, ૫ અને ૮ પર લાભાર્થીને કૃમિ નાશક મેડીશીન આપવામાં આવી હતી. સી.ડી.પી.ઓ મીતાબેન જાનીએ જણાવ્યું હતું કે, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ માંડલ તાલુકામાં “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી. આ કામગીરીને સઘન વેગ આપવા ઘટક માંડલની ૯૭ આંગણવાડી કેન્દ્રમાં કૃમિનાશક દીન ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને એક સાથે કૃમિનાશક ટેબલેટ ખવડાવવામાં આવી હતી અને કૃમિથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આચારસંહિતાની અમલીકરણની શરૂઆત.

ProudOfGujarat

વલસાડ શહેરમાં આશરે 200 દર્દીઓને તેમજ આલીપોર તેમજ અન્ય ગામોમાં 300 થી વધુ દર્દીને ઘરે જઈને ઓક્સિજનના બોટલ ચડાવી.

ProudOfGujarat

સેન્નુરની વેબ સિરીઝ ફસલનું પોસ્ટર લૉન્ચ થયા બાદ તેનું શૂટિંગ શરૂ કરી દેવાયું – જુઓ સેટ પરથી કેટલીક તસવીરો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!