Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : માંડલની ૯૭ આંગણવાડી કેન્દ્રમાં કૃમિનાશક દીન ઉજવણી કરવામાં આવી.

Share

અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. ઘટક માંડલમાં કૃમિનાશક દીન ઉજવણી નિમિતે તાલુકા હેલ્થ ઓફિસર દીપકભાઈ, સી.ડી.પી.ઓ મીતાબેન જાની, મુખ્ય સેવિકા આયેશાબેન મુલતાની ઉપસ્થિતિમાં માંડલ આંગણવાડી કેન્દ્ર-૨, ૫ અને ૮ પર લાભાર્થીને કૃમિ નાશક મેડીશીન આપવામાં આવી હતી. સી.ડી.પી.ઓ મીતાબેન જાનીએ જણાવ્યું હતું કે, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ માંડલ તાલુકામાં “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી. આ કામગીરીને સઘન વેગ આપવા ઘટક માંડલની ૯૭ આંગણવાડી કેન્દ્રમાં કૃમિનાશક દીન ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને એક સાથે કૃમિનાશક ટેબલેટ ખવડાવવામાં આવી હતી અને કૃમિથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં કુલ પાંચ કોરોના પોઝિટીવ કેસ આવતાં જીલ્લાનાં અલગ-અલગ વિસ્તારને કોરન્ટાઈન કરાયાં.

ProudOfGujarat

ઝઘડિયાના ખરચી ગામ પાસે આવેલ વાયલાઈન વર્કસ કંપનીમાં લાગી અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. નાં બિસ્માર રસ્તા મુદ્દે ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ સામે અંકલેશ્વરનાં યુવાનની ગાંધીગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!