Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પીરામણ નાકા નજીક ગટરમાં આગ ફાટી નીકળતા દોડધામ

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાના બનાવો બની રહ્યા છે વર્ષના અંતમાં આગના બનાવના ભાગરૂપે અંકલેશ્વરના પોશ વિસ્તાર એવા પિરામણ નાકા નજીક ગટરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.અચાનક ગટર માંથી આગની જ્વાળાઓ ઉત્પન્ન થતા એક તબક્કે કુતૂહલ સર્જાયું હતું.

આગ લાગવાનું ટેકનિકલ કારણ જાણી શકાયું નથી ગટર માં ગેસ જેવા જ્વલનશીલ પદાર્થ ક્યાંથી આવ્યો તે વિચાર માગી લે તેવો પ્રશ્ન છે. ઉપસ્થિત લોકોએ ફાયર વિભાગને ઘટના ની જાણ કરી હતી. ગટર લાઇન નજીક થી ગેસ લાઇન પસાર થતી હોવાનું અનુમાન લગાવી રહ્યાં છે.આ આગ ને પગલે કોઇ જાનહાનિ કે માલહાનીનાં અહેવાલ સાંપડી રહ્યાં નથી.

Advertisement

Share

Related posts

ભરૂચ સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરનાં ૬૫ માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ફુલહાર અર્પણ કરાયા.

ProudOfGujarat

વડોદરામાં તૃષાની હત્યા બાદ પોલીસની પહેલ…જાણો શું ?

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસે એમએસએમઈ માટે ત્રણ નવા વીમા ઉકેલો પ્રસ્તુત કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!