Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક રાજધાની એક્સપ્રેસની અડફેટે અજાણ્યા આધેડનું મોત…   

Share

ભરૂચના અંકલેશ્વર રેલવે સ્ટેશનની ઉત્તરે રેલવે કી.મી. નં. 317/20-22 ની વચ્ચે ડાઉન લાઈનની બાજુમાં ગતરોજ રાત્રીના નવ વાગ્યાના સુમારે એક પચાસ વર્ષના આશરાના અજાણ્યા આધેડનું ટ્રેન નંબર 02953 રાજધાની એક્સપ્રેસ ટ્રેનની અડફેટે અકસ્માતે આવી જતા તેને શરીર પર થયેલ ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું.

મૃતક ઇસમે કેસરી રંગની કારી આડી લાઇનિંગવાળી અડધી બાયની ટી શર્ટ તથા જાંબલી રંગની નાઇટી પહેરેલ છે. બનાવની જાણ અંકલેશ્વર રેલવે આઉટ પોસ્ટને થતા એ.એસ.આઈ. હસનભાઈ નાયકાભાઈએ કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ  કરાવી વાલી વારસોની શોધના ચક્રો ગતિમાન કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ તંત્ર ની ગંભીર બેદરકારી સામે આવી હતી..પાર્કીંગ માંજ મેડીકલ વેસ્ટ ના ઢગલા નજરે પડતા તંત્ર માં દોઢધામ મચી હતી….

ProudOfGujarat

21 મે આ 2 રાશિઓ માટે વરદાન સમાન, જુઓ તમે પણ આ યાદીમાં સામેલ છો કે નહીં.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યના વડપણ હેઠળની સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, વેલી ઓફ ફલાવર્સ, રિવર રાફટીંગ વગેરેની લીધેલી મુલાકાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!