Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં આંબોલી-બોઈદ્રા રોડ ઉપર સૂતેલા કામદાર ઉપર ટ્રક ફરી વળતાં મોત નીપજયું.

Share

અંકલેશ્વરમાં ખેતરે શેરડી કટિંગ કરી રોડ પર સૂઈ ગયેલ કામદાર પર ટ્રક ફરી વળતાં ગંભીર ઇજાઓને પગલે તેનું મોત નીપજયું.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ તાપી જિલ્લાના ગાસિયા મેરા ગામના અને હાલ અંકલેશ્વરના આંબોલી-બોઈદ્રા બસ સ્ટેન્ડની બાજુમાં રહેતા 60 વર્ષીય જયંતિ સુરજી કોટવાલીયા ગતરોજ નાગજીભાઈ પાટણવાડિયાના ખેતરે શેરડી કટિંગ કરવા ગયા હતા અને મોડી રાતે આંબોલી-બોઈદ્રા જવાના રોડ ઉપર સૂઈ ગયા હતા તે દરમિયાન પંડવાઈ સુગર ફેકટરીમાં શેરડીનો જથ્થો ખાલી કરવા જતાં ટ્રક નંબર-જી.જે.16.T.9516 ના ચાલક કિશોર ગામિત પોતાની ટ્રક રિવર્સ લેતી વખતે બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવતા રોડ પર સૂતેલા કામદાર ઉપરથી ટ્રક ફરી વળતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે જયંતિ કોટવાલીયાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ટ્રક ચાલકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

સુરતમાં ચેન સ્નેચિંગ કરતી ગેંગના 6 ઇસમો ઝડપાયા, 11 જેટલા ગુનોનો ભેદ ઉકેલાયો

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે ચોરીના ગુન્હામાં સંડોવાયેલ એક આરોપીની ધરપકડ કરી…

ProudOfGujarat

ભરૂચમાં આપની તાબડતોડ એન્ટ્રી : ભરૂચ ભાજપ યુવા મોરચાના 60 થી વધુ કાર્યકર્તાઓ આપમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!