અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા મોટરસાયકલ ચોરીનો ભેદ ખોલવામાં આવ્યો હતો. જેમાં બે મોટરસાયકલ રિકવર કરવામાં આવી હતી. પી.આઈ. ઓ.પી.સીસોદીયા અને તેમના સ્ટાફે ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ બાતમી મુજબ કામગીરી કરી હતી. જેમાં છાપરા પાટિયા પાસે શંકાસ્પદ મોટરસાયકલ સવાર આવતા તેને પૂછતા તેને ખચકાટ અનુભવ્યો હતો. વધુ પૂછપરછ કરતાં તેનું નામ વિજય વનાભાઇ ભરવાડ ઉં.19 રહે. કેમાતુર ચોકડી અને તેની સાથે એક સગીરવયનો આરોપી પણ ઝડપાયો હતો. આ આરોપીએ અંકલેશ્વર GIDC વિસ્તારનો ગુનો કબુલ કર્યો હતો.
Advertisement